SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર - ૧૨૩ સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન પ્રથમ જિનેશ્વરરૂપ શ્રેષ્ઠ પુત્રરત્નને જન્મ આપીને હમણું પૂર્વની માતાઓને ખદ્યોતને જન્મ આપનારી હોય એવી કરી છે. હે દેવી! હું સૌધર્મદેવેન્દ્ર તમારા પુત્ર રત્ન અરિહંત પરમાત્માનો જન્માભિષેકનો મહોત્સવ કરવા માટે અહીં આવ્યો છું. “તમારે ભય પામે નહિ” એમ કહીને ઈંદ્ર જિનમાતાને અવસ્થાપિની નિદ્રા આપીને માતા પાસે જિનેશ્વરનું વૈકિય પ્રતિરૂપ સ્થાપીને ઈંદ્ર પિતાની જાતે જ પાંચ શરીરે વિકુવને એક રૂપે પાછળ રહી જિનેશ્વરના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે, બે રૂપે બંને પડખે વેત ચામરો વડે વીજે છે, એક રૂપ વડે આગળ શરદત્રતુના સૂર્યની જેમ દિશાવલયને ઉદ્યોતમય કરતાં વજને ધારે છે, વળી એક રૂપ વડે હર્ષના વશથી ઉલ્લસિત રોમાંચવાળે ઈંદ્ર સુગંધી ગશીર્ષચંદનથી વિલેપન કરેલા હસ્તકમળમાં જિનેશ્વરને ધારણ કરે છે. આ પ્રમાણે પાંચ રૂપ વડે સર્વ પિતાનું કર્તવ્ય કરવા માટે ભક્તિના સમૂહથી વ્યાપ્ત એ તે ઘણું કોડે દેવેથી પરિવરેલે, પિતાને પુણ્યવંત માનતે ઈંદ્ર મેરુપર્વત સન્મુખ ચાલે છે. તે વખતે ઉત્કંઠાવાળા દેવાની દષ્ટિએ જિનેશ્વરના દેહ ઉપર પડી. કેટલાક આગળ. ચાલનારા દે, પાછળ રહેલા દેવોની અને પાછળ ચાલ નારા દે આગળ જતા દેવેની પ્રશંસા કરતા હતા. આગળ જનારા કેટલાક દેવે પ્રભુના અતિ અદ્દભુત રૂપને જોવા માટે પૃષ્ઠવતી નેત્રોને ઇચ્છે છે, પડખે રહેનારા.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy