SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - હિતી પ્રારતાજ પરાક્રમી પોતાના પારડીયા રાજાને એકત્ર કર્યા. અહીં ભદ્રરને શાજા પણ પિતાના રિન્યને તૈયાર કરી વજની અર્ગલા સમાન થઈને પોતાના સીમાડાને રૂંધી ઉભે રહ્યા. - હવે મરુસ્થલી (મારવાડ)ની ભૂમિના ભાલસ્થલમાં તિલક સમાન અને સુવર્ણગિરિના અલંકારભૂત એવા જાવાલ (જાર) નગરમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને ઉદયસિંહ નામે પુત્ર થયા. તે રાજા થતાં ક્ષત્રિયામાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધ થયે. ચાહુમાન (ચહુઆણ) કુળરૂપ આકાશમાં ઉદયસિંહરૂપ સૂર્ય તપતાં, લોકમાં દેષરૂપ અંધકારને અવકાશ જ ન મળે. તે રાજાને પ્રશસ્ત સ્થિતિમાં રહેનારા, બહાદુર એવા વીર જનોમાં નામાંતિ અને રાજાઓમાં પ્રથમ પંક્તિએ મૂકવા લાયક ત્રણ ભાઈઓ હતા. તેમાં પ્રથમ સામતપાલ કે જે અર્જુન જે પરાક્રમી હતો, બીજે અનંતપાલ કે જે ચંદ્ર સમાન કળાવાન હતો અને ત્રીજે ત્રિલોકસિંહ કે જે પંડિત જનેને પણ માન્ય હતું. આ ત્રણે બંધુઓ પિતાના બળથી જગતને તૃણ સમાન ગણતા હતા. હવે મોટા ભાઈ ઉદયસિંહે તેમને ત્રપાપાત્ર (લજજાસ્પદ) એ અલ્પ માત્ર ગ્રાસ આપે, તેથી તેમના અંત૨માં મહેચ્છા હોવાને લીધે તેમને અસંતોષ ઉત્પન્ન થયે, તોપણ તેઓ વિચારવા લાગ્યા કે-આ સંસારમાં જીવિત ચિરસ્થાયી નથી, અને સર્વ મનુષ્યોને અભીષ્ટ એશ્વર્ય પ્રાપ્ત પણ થતું નથી, છતાં લોકે કંઈ પણ નિમિત્તને લઈને અકાર્ય કરવા તૈયાર
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy