SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ક૬ શ્રીવસ્તુથલા ચરિત્ર ભાષાંતર શ્રી , સામાન્ય અ ગ્રહણ કર્યા. પછી એક માસ પર્વત ત્યાં આનંદથી રહી તે રાજ્ય પર તેણે સાંગણ ને ચામુંડના બે પુત્રને સ્થાપન કર્યા, તથા મંત્રીરાજે તે નગરમાં હેમકુંડથી મનોહર એવું એક ચૈત્ય કરાવીને તેમાં વીર પ્રભુના બિંબની સ્થાપના કરી. પછી ત્રણે જગતમાં વિખ્યાત અને કરોડો ભવેનાં પાપને દૂર કરનાર એવા ગિરનાર મહાતીર્થને ત્યાંથી અત્યંત સમીપે સાંભળીને સંસારસાગરથી પાર ઉતરવાની ઈચ્છાવાળા રાજા મંત્રી સહિત શ્રી નેમિનાથને વંદન કરવા તથા ગજપદ કુંડમાં સ્નાન કરવા ચાલ્યા. ત્યાં પહોંચી લેકત્રયમાં અદ્દભુત એવા ભગવંતની મૂર્તિના દર્શન કરીને રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ મૂર્તિ પૂર્વે તેણે કરાવી છે?” એટલે રાજાને આત્ ધર્મનું વાસ્તવિક તત્તવ સમજાવવાની ઈચ્છાથી વિચારમાં અત્યંત કુશળ એવા મંત્રીએ જણાવ્યું કે-હે રાજન્ ! વજરત્નમય આ દિવ્ય મૂર્તિ અનેક કટાકેટિ સાગરોપમ પૂર્વે ઇંદ્ર કરાવી હતી.” કહ્યું છે કે- વીશ કટિ સાગરેપમ પૂર્વે શ્રી બ્રહ્મ અમરગણને પૂજ્ય એવી શ્રીનેમિનાથની મૂર્તિ કરાવી હતી. તે મૂર્તિ ગિરનાર ગિરિરાજ પર જયવંત વર્તે છે.” વળી શિવધર્મ તથા જિનશાસનમાં એ મૂર્તિ સારી રીતે વિદિત છે અને આ મહાતીર્થ પર તે મહર્ષિઓથી સેવિત છે. પ્રભાસખંડમાં કહ્યું છે કે પોતાના જન્મના પશ્ચિમ ભાગમાં વામને તપ કર્યું. તે તપથી આકર્ષાઈને શિવ પ્રત્યક્ષ થયા, તથા જિનશા તે મહરિના પર વાર કહ્યું છે કે મહર્ષિએથી એ વિદિત છે અને
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy