SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ * દિતીય પ્રસ્તાવ - ૫૯ સંભળાવ્યાં. એ વખતે વિચાર કરવામાં ચતુર, બુદ્ધિશાળી અને વરધવલ રાજાની પટરાણી જયલતા પિતાના બંધુએ કહેવરાવેલાં વચનો સાંભળીને તરત રાજાની રજા મેળવી સાર પરિવાર સાથે લઈ પોતાના બંને ભ્રાતાઓને સમજાવવા પિતૃભવનમાં આવી. એટલે બંધુઓએ પ્રીતિ અને ગૌરવપૂર્વક તેની સારી સરભરા કરી. પછી જયલતાએ એકાંતમાં નેહસુધામિશ્ર વાણીવડે પિતાના બંને બંધુઓને કહ્યું કે, “અનેક નગર અને ગામના મર્યાદા વિનાના રાજાએને શિક્ષા કરતા અને શત્રુઓને લૂંટતા તમારી બહેનના પતિ તમારા ઘરે આવ્યા છે. તે ગુણમાં અધિક હોવાથી તથા શેષનાગની જેમ પોતાની ભુજાથી સમસ્ત વસુધાના. ભારને વહન કરનાર હેવાથી તમારે ગૌરવ કરવા લાયક છે, માટે સ્વજનને પાળનારા, બલિષ્ઠ અને ઘરે આવેલા એવા એ રાજાને ગજ તથા અશ્વાદિક ભેટ કરીને તમે વંશપરંપરાથી આવેલા અને સર્વથી અદ્દભુત એવા સામ્રાજ્યને નિર્મળ પ્રેમરસથી સુંદર બનાવો.” આ પ્રમાણેનાં પિતાની બહેનનાં વચનો સાંભળીને મદથી મગરૂર થયેલા તે બંને બાંધ પિતાના હસ્ત-કમળથી મૂછને મરડતા બેલ્યા કે, “હે હેન ! દેવતાઓએ જેમના યશગાન કર્યા છે એવા આ ભુજદંડે એ અધમ ક્ષત્રિયને. ભેટ કરતાં લજજા પામે છે. જે ક્ષત્રિય થઈને પિતાના કુળમાં એ દંડ દાખલ કરે તે દેાષાકર ( દની ખાણ-- રૂ૫) પોતાના પૂર્વજોના મુખ-કમળને પ્લાન કરનાર છે. હે. બહેન ! ક્ષત્રિને પિતાની કીર્તિ સાથે રણભૂ મિની રજમાં
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy