SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરતાં મનેાભીષ્ટ વસ્તુ આપીને સામેશ્વર ગુરૂને પ્રસન્ન રાખતાં, ગુણવત જનાને બહુમાન આપતાં. સમસ્ત પ્રજાને આનન્દ પમાડતાં, ધાર્મિક જનાને વધારતાં, પ્રવીણ જનાને અગ્રેસર ગણતાં, દુષ્ટ જનેાને ભય અતાવતાં, રાજહંસની જેમ પેાતાના સદ્ગુણાથી રાજાના મનમાં રમણ કરતાં, આદરપૂર્વક ગૌરવવાળી ક્રિયાથી જિનશાસનનુ પાણ કરતાં, યથાયાગ્ય રીતે રાજવ્યાપાર કરતાં, અને દુ નાની તપાસ રાખતાં, સુમિત્રાને આનન્દ આપનાર લક્ષ્મણની સાથે જેમ રામચન્દ્રસ્વકાર્યની સિદ્ધિને પામ્યા, તેમ વિશેષજ્ઞ એવે વસ્તુપાલ પોતાના તેજપાલ બંધુસહિત સર્વત્ર કાર્યસિદ્ધિને પામ્યા, ‘સજ્જનાના સત્કાર કરવા, દુર્જનાને દંડ આપવા, ધન અને ધર્મની વૃદ્ધિ કરવી અને સ લેાકેાપર ઉપકાર કરવા, એ જ રાજવ્યાપારનું ફળ છે.’ એમ ચિંતવીને જ્યેષ્ઠ પ્રધાને લાંચ અને પ્રપ ́ચથી લક્ષ્મી મેળવનાર, દુષ્ટ અને ચાડીયામાં અગ્રેસર એવા એક જુના અધિકારીનો દંડ કરીને તેની પાસેથી એકવીશ સે (૨૧૦૦) મોટા દ્રશ્મ† લઈ કુશિષ્યને સદ્ગુરૂની જેમ તેને શિક્ષા આપી. પછી મંત્રીશ્વરે તે દ્રવ્યના વ્યય કરીને સારભૂત એવું અશ્વ, તથા સુભટાદિક કેટલુંક લશ્કર પેાતાના ઘર પાસે રહેનારૂ' તૈયાર કર્યું. કારણ કે લશ્કરથી રાજ્યમાં શેાભા વધે છે. પછી તે સૈન્યના બળવડે તેણે અન્યાય કરવાવાળા એવા ગામના મુખી વિગેરે પાસેથી ઘણા વખતથી સંઘરી રાખેલુ' ધન મૂકાવ્યું (પડાવ્યુ’), આતુર (વ્યાધિવાળા) * લક્ષ્મણની માતા. - એક જાતની સુવર્ણ મુદ્રા,
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy