SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭ જાય. કહ્યું છે કે – श्रीतीर्थपांथरजसा विरजीभवंति । तीर्थेषु बभ्रमणतो न भवे भ्रमंति ॥ तीर्थव्ययादिह नराः स्थिरसंपदः स्युः । तीर्थेश्वरार्चनपरा जगदर्चनीयाः ॥१॥ તીર્થયાત્રિકની રજથી પુરૂષે ક–રજરહિત થાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી ભવભ્રમણથી મુક્ત થાય છે. તીર્થમાં દ્રવ્યને વ્યય કરવાથી સ્થિર સંપત્તિવાળા થાય છે, અને . તીથેશ્વરની પૂજા કરવાથી પ્રાણુ જગતને પૂજનીય થાય છે.” પછી જગજજીવોના તાપને ઉપશાંત કરવામાં મેઘ સમાન એવા મંત્રીશ્વરને જોઈને સંઘપતિ મયૂરની જેમ અત્યંત આનંદ પામ્યા, અને પગે ચાલી સામે આવીને તેણે મંત્રીશ્વરને પ્રણામ કર્યા, એટલે અશ્વરત્ન પરથી નીચે ઉતરીને જાણે પિતાના હૃદયમાં સ્થાપન કરવા માગતા હોય તેમ મંત્રીશ્વરે નેહપૂર્વક બહુમાનથી તેને આલિંગન કર્યું. પછી ગુણથી જ્યેષ્ઠ અને સંઘમાં મુખ્ય તથા દર્શનેન્કંઠિત એવા અન્ય જને પણ અનુકમે જગતમાં પુણ્યથી અત્યંત મહાત્ એવા તેમને નમ્યા. પછી ક્ષણભર મંગલા લાપ કરી, સર્વ ઋતુઓનાં વૃક્ષેથી શોભાયમાન એવા સરોવરના કાંઠે સંઘને ઉતારે આપી, ભેજનાદિ નિમિત્ત બહુમાનપૂર્વક નિમંત્રણ કરીને ધર્મરાજ સમાન મંત્રીશ્વર પિતાના ઘરે આવ્યા. પછી એક જ દિવસમાં મંત્રીને ઘરે સર્વ પ્રકારનાં પકવાનો અને
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy