SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩} } શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મ્લેચ્છ સેનાના આગમનના વૃત્તાંત તેને નિવેદન કર્યાં. પછી કલ્પાંત કાળના સમુદ્ર સમાન દુસ્તર, ભયંકર અને ગગનમાં ઉડતી રજથી સર્વ દિશાઓને આચ્છાદિત કરનાર એવું યુવનાનુ... સન્ય પર્યંતની નજીકમાં આવેલ પાતાના ચરપુરૂષો દ્વારાએ જાણીને ત્યાંના રાજા સહિત મત્રીશ્વર સૈન્ય લઈને તરતજ તેની સન્મુખ ગયા, અને દેવીના આદેશ પ્રમાણે ઈંદ્ર સમાન પરાક્રમી એવા વીર મંત્રી ઉદ્ધૃત યવનાની સાથે યુદ્ધ કરવાને માટે ધસ્યા. ત્યાં ભીમ અને અર્જુનની જેમ પાછળ ધારાવ રાજા અને આગળ મત્રીશ્વર અને સખ્ત રીતે યવન સેનાને હણવા લાગ્યા, એટલે મહા એજસ્વી એવા મત્રીથી પીડાતી યવન સેના આળ અખળાની જેમ બહુજ આક્રંદ કરવા લાગી. તે વખતે બિચારા તુકી આ પેાતાના મુખમાં આંગળી નાખીને ખુંખારવ સહિત તેાખા પેાકારવા લાગ્યા. કેટલાક યવના લજ્જા રહિત થઈ તેમના પગે પડીને પાતાનાં વસ્ત્રા અને અસ્રા તેમને આપવા લાગ્યા. વળી જમીન પર પડેલા વીર પુરુષાનાં ધડ જાણે દેવાંગનાના મુખકમળના પરિમળથી પ્રમુદિત થયાં હાય તેમ નૃત્ય કરવા લાગ્યાં. વારંવાર મૂર્છા પામતી કાઈ વીરાંગના ભૂમિ પર આળેાટતા પાતાના પ્રાણનાથના મુખકમળને ચુંબન આપવા લાગી. કોઈ પતિવ્રતા લલના રાગથી સ્વામીના ધડને પાનાના ખેાળામાં લઈને તેના યશેાગાન કરવા લાગી. કાઈ માહમૂઢ વીરાંગના મરણ પામેલા છતાં પોતાના સ્વામીના મુખમાં
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy