SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠે. પ્રસ્તાવ ૩૫૫ હારના નામથી શ્રી પાર્શ્વચૈત્ય કરાવ્યું, અને પેાતાની માતાના સુકૃતનિમિત્તે તે નગરની ખહાર ઉછળતા કલ્લાલ યુક્ત કુમારદેવીસર એ નામનું વિશાલ સરોવર કરાવ્યું. વળી ત્યાં ચૈત્યમાં મમ્માણિ ખાણના નવીન ચંદ્રકાંતિ સમાન મનેાહર પાષાણની શ્રી પાર્શ્વ પ્રભુની પ્રૌઢ પ્રતિમા તેણે સ્થાપન કરી, અને શ્રી પાર્શ્વ પ્રભુની પૂજાનિમિત્ત આનંદિત એવા તેણે ત્યાં નિલ અને અત્યંત રમણીય એવું એક ઉદ્યાન રચાવ્યું. વળી શ્રી તેજપાલ મંત્રીએ મુસાફાની અગવડ દૂર કરવા પેાતાની પુરી અને વામનપુરી (વણથળી)ના મધ્ય ભાગમાં એક પુષ્કળ જળયુક્ત વાવ કરાવી. તેમજ વામનસ્થલી (વણુથળી)માં તેણે જગતને આનંદ આપનાર તથા વસુધાને એક ચદ્રોય સમાન રમ્ય વસતિ (સ્થાન) કરાવી અને તેની સાર સંભાળ માટે અમુક રકમ અનામત મૂકી. સુના એવા મંત્રીએ વૃક્ષાદિકથી અભિરામ અને તપોવનના આધારરૂપ એવું ફૅટેડી નામે ગામ ત્યાં વ્યવસ્થાપૂર્વક વસાવ્યું અને તીર્થ તરફ જતા સંઘલેાકને વસ્ત્રાપથમાં રાજાની આજ્ઞાથી દુષ્કર કરથી મુક્ત કરાવ્યા. વળી દ્વારિકા પાસે ગામતી નદીના અને સમુદ્રના સગમ આગળ તેણે એક ઉન્નત શ્રીનેમિચૈત્ય કરાવ્યું, તેમજ શખાદ્વાર દ્વીપમાં મિથ્યાત્વીએને સમ્યક્ત્વ પમાડવા તેજપાલે પ્રથમ પ્રભુનું મંદિર કરાવ્યું, અને રાજાના મનને સતુષ્ટ રાખવા તેણે ત્યાં જૈનેતર શખેશ્વરગ્રહના
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy