SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રસ્તાવ ३४७ રહી હાય એમ જણાતું હતું. વળી હાથમાં વીણા લઈ ને દેવાંગનાઓ આનંદપૂર્વક જાણે નિર'તરતી માહાત્મ્યને ગાતી હોય તેવી લાગતી હતી. તે તેારણની પાસે ઉન્નત મત્તવારણ (આટલા)થી મંડિત અને જાણે પેાતાની સેના હાય તેવી એક તેણે જગતી રચાવી. ભગવંતની આગળ તેણે બે પ્રશસ્તિ-ચતુષ્ટિકા કરાવી, તે જાણે તારણને જોનાર ચૈત્યલક્ષ્મીનું નેત્રયુગલ હેાય તેવી શેાભતી હતી. આદિનાથ ભગવંતના ખલાનકમડપમાં પ્રવેશ કરતાં દક્ષિણ બાજુએ પેાતાની પત્ની લલિતા દેવીના પુણ્યનિમિત્તે સુજ્ઞ એવા તેણે વિવિધ ખિાથી વિરાજિત તથા મંડા સહિત્ વીર પ્રભુની પ્રતિમાયુકત સત્યપુર તીથ રચાવ્યું, અને ડાબી બાજુએ પાતાની બીજી સ્ત્રી સૌમ્યલતાના શ્રેય નિમિત્તે તેણે શ્રી મુનિસુવ્રત ભગવંતની પ્રતિમા ચુકત, સમવસરણ, અશ્વ, શકુની, વટવ્રુક્ષ, મુનિયુગ તથા શિકારીની મૂર્ત્તિ સહિત અન્ધાવાધ તીર્થ કરાવ્યું. તેમજ ત્યાં જિતશત્રુ, શિલામેઘ રાજા, વણિક, સુદના દેવી, સૌખ્યલતા તથા પેાતાની મૂર્ત્તિએ પણ તેણે સ્થાપન કરાવી. વળી તેની આગળ પેાતાના દાદા ચડપ્રસાદના પુણ્યનિમિત્તે વિજયી એવા તેણે અજિતનાથ તથા સંભવનાથની મૂર્તિ સ્થાપન કરાવી. તેમજ પેાતાના અને લલિતા દેવીના શ્રય નિમિત્તે સ્ફટિકનાં દ્વારયુકત. એવી ઉત્તર દિશાભિમુખ એ દેવકુલિકા કરાવી. વળી શ્રી આદિ જિનના ચૈત્યમાં દક્ષિણ અને ઉત્તર ખાજુએ તેણે ચાર ચાર તુષ્ટિકા કરાવી. તેમજ શ્રી આદિનાથના
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy