SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ૪. જગતને પાવન કરનાર એવા જિનશાસનમાં જે પુરૂષ મહોત્સવ કરે છે તે જગતના નેત્રને એક મહત્સવરૂપ થાય છે. તે જ સમૃદ્ધિમાન પુરૂષ સૂર્યની જેમ પ્રશંસા પામે છે કે જે જિનશાસનને વિવિધ ઉત્સથી દેદીપ્યમાન કરે છે. ૫. સમસ્ત જગતમાં પ્રસિદ્ધ એવા શત્રુંજયાદિક તીર્થોની સુજ્ઞ જનેએ મોક્ષ-લક્ષમીની દાનશાળારૂપ યાત્રા અવશ્ય કરવી. તીર્થયાત્રા કરતાં પ્રાણીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ તો કેવળી ભગવાન જ જાણી શકે. કહ્યું છે કે “તીર્થયાત્રા કરવાથી શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ફળ, ચાર પ્રકારના સુકૃતને લાભ, તીર્થોન્નતિ અને તીર્થંકરપદની પ્રાપ્તિ એટલા ગુણો પ્રગટ થાય છે.” આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને તે બંને તીર્થની યાત્રા કરવાને ઈરછનાર અને પવિત્ર ભાવને ધારણ કરનાર એવા પ્રધાને તેમને વંદન કરીને એકાંતમાં પૂછયું કે-હે મહાત્મન્ ! જે અત્યારે હું તીર્થયાત્રા કરૂં તો ભવિષ્યમાં મારો કંઈ વિશેષ અભ્યદય થાય તેમ છે? ગુરૂ બોલ્યા કે “હે ભદ્ર! તું જ્યારે યાત્રા કરીને (ધવલક્ક) ધોળકામાં આવીશ ત્યારે રાજ્ય-વ્યાપારના લાભથી તારે મહાન્ ઉદય થશે.” પછી નિરંતર ઉદય પામતી પ્રજ્ઞાના તેજથી સૂર્યનો તિરસ્કાર કરનાર એવા તે મંત્રીએ તેજપાલ મંત્રીની સંમતિ લીધી અને પિતાના ઘરનું સર્વસ્વ લઈને સિદ્ધિને
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy