SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપતાં તે મંત્રીશ્વરે મુક્તિકાંતાના મણ સુખને પરિપુષ્ટ બનાવ્યું. ત્યારપછી પૂજારીઓને યોગ્ય સત્કાર કરીને તથા અંબિકા, પ્રદ્યુમ્ર અને શાંબની ભકિતપૂર્વક પૂજા કરીને સુકૃતશાળી એવા મંત્રી પર્વત પરથી નીચે ઉતર્યા. હવે શત્રુંજય તીર્થ પર સુરાસુર અને મનુષ્યોને પણ શ્લાઘનીય એવાં જે પુણ્યકાર્યો મંત્રીએ કર્યા. તે સર્વ સંક્ષેપથી યથાશ્રત હું કહું છું, કારણ કે પરપુણ્યના અનુમોદનથી પણ મહા પુર્ણ થાય છે. કહ્યું છે કે-ધર્મકૃત્ય કરનાર, સંતુષ્ટ મનથી .જા પાસે કરાવનાર, સંતુષ્ટ મનથી બીજા પાસે કરાવનાર, અનુમોદન આપનાર અને બીજા પ્રાણીને સહાય આપનાર એ સર્વને સમાન ફળ મળે એમ તત્વવેત્તાઓ કહે છે. કળિકાળને તિરસ્કાર કરનાર એવા મંત્રીએ પ્રથમ શ્રી શત્રુંજય ગિરિ પર ઇંદ્રમંડપ કરાવ્યો. તેમજ ત્યાં અંબિકાના અવલોકન નિમિત્તે શાંબ અને પ્રધુમ્રનાં શિખરે સહિત તેણે શ્રી નેમિ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. વળી ત્યાં કરાવેલ શ્રીસ્તંભતીર્થનાયકના રૌત્યમાં પોતાના રાજાની, પિતાની, પિતાની સ્ત્રીની, પિતાના ગુરૂની અને પિતાના બંધુની મૂર્તિઓ કરાવી. તેમજ ત્યાં ઈંદ્રાણી સહિત ઈંદ્રની જેમ શ્રી જયતલ દેવી સહિત પોતાના સ્વામી વીરધવલ રાજાની ગજેદ્રારૂઢ મૂર્તિ કરાવી. વળી નિરંતર વિદ્વાનોને દ્રવ્યદાન આપનાર એવા તેણે ત્યાં પિતાની અને પોતાના બંધુની આરસ પાષાણુની અધપૃષ્ઠ પર સ્થાપિત એવી મૂર્તિ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy