SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સના મધ્યમાં માણિકયથી નિર્મિત, પવિત્ર, દેવાના ચિત્રચુક્ત, ત્રૈલોકયસુદર નામનું પર્યંત સમાન ઉંચા શિખરયુક્ત અને એકસેા આઠ ચંદ્રકાંત તથા સૂર્યકાંત મણિથી બનાવેલા કળશેાથી વિરાજિત એવુ' ભરત મહારાજાનું ચૈત્ય શાલતું હતું. તે સં દેવાલયેામાં કરજને દૂર કરનારી એવી શ્રીમાન્ આદિદેવની અનુપમ પ્રતિમાએ વિરાજમાન હતી. એ પ્રતિમાઓની પ્રતિષ્ઠાને અવસરે સિદ્ધાચળ તરફ જવાની તૈયારીને સમયે દેવતાઓથી પરિવૃત્ત એવા ઈંદ્ર મહારાજે ભરતેશ્વરના મંદિરમાં (વિનિતા નગરીએ ) આવીને નૃત્ય કરતી દેવાંગનાઓથી નગરજને ને આશ્ચય પમાડતાં વિધિપૂર્ણાંક તેને સંઘપતિની પદવી અર્પણ કરી, એટલે કે સત્પુષ્પ અને કુંકુમના પિ૨મલથી સુવાસિત તીર્થં જળથી મ’ગલિવિધપૂર્ણાંક તેના અભિષેક કરી, સ્વસ્તિકયુક્ત સુવ પાટ પર તેમને અને તેમની ડાબી બાજુએ ભદ્રપીઠ પર સુભદ્રા(સ્ત્રીરત્ન)ને એસારીને સુજ્ઞ એવા ઇંદ્રે સકલત્ર ભરતેશને પેાતાને હાથે તિલક કરી તેના પર રૌપ્ય તદુલ સ્થાપન કર્યા. પછી તેણે આનંદપૂર્વક ભરતેશના કંઠમાં વિશાળ પુષ્પમાળા પહેરાવી અને નવાંગપૂજાપૂર્વક તેને દેવદૃષ્યાથી અલકૃત કર્યા. તે વખતે કેટલાંક આનંદમગ્ન થયેલા કેટલાંક દેવા કુતૂહલથી આકાશમાં જયજયારવ સાથે દુંદુભિ વગાડવા લાગ્યા. પછી હર્ષિત થયેલા ભરતેશ્વરે પોતાના સઘાધિપ પદની પ્રૌઢતા અત્રીશ હજાર રાજાઓને અર્પણ કરી. ત્યારપછી દરેક ગામ, નગર અને પર્વતની મેખલાએ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy