SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર લેપ કરનાર એવો આ લેપ કરવો યુક્ત નથી. કોધોધ મુનિ અને પ્રચંડ ચંડાળમાં કશે તફાવત રહેતું નથી, માટે ક્રોધને ત્યાગ કરી નિર્મળ બુદ્ધિને ધારણ કરે.” આ પ્રમાણે કહેવાથી તે દેવે અવધિજ્ઞાનવડે રાજાનું મન જિનશાસનરૂપ કમળના ગુણરૂપ સૌશલ્યથી પરિપૂર્ણ જોયું, એટલે કપાપથી આકાંત થયેલ દુસહ કૃતાંત (યમ) સમાન એવા તે ગુરૂષધારી દેવે પિતાના પદાઘાતથી રાજાને તાડન કરતાં કહ્યું કે “અરે દુષ્ટ, દુરાચારી, પિતાને કુશળ માનનાર દુમતે ! શ્રાવકેમાં અગ્રેસર થઈ પ્રાજ્ય સામ્રાજ્યવાન્ છતાં, ગુણવંતમાં ગરિષ્ઠ, દશ પ્રકારે યતિધર્મને ધારણ કરનાર, નિગ્રંથ અને સર્વત્ર નિરીહ (ઈચ્છા રહિત) એવા આ સાધુઓ ભક્ત પાનાદિકના અભાવે અત્યારે બહુજ સદાય છે, તે તું સમર્થ છતાં લેશમાત્ર પણ યોગક્ષેમ કરતું નથી. તારા દેશ, ગામ, નગર અને ભવવમાં સાધુઓને કેઈ શુદ્ધ અન્નપાનાદિક પણ આપતું નથી, તેથી આ સર્વ મુનિએ સુધાથી દુર્બળ અને સર્વથા દુઃખમગ્ન થઈને આવી દુર્બળ સ્થિતિમાં આવી ગયા છે.” આ પ્રમાણેની ગુરૂની વાણી સાંભળીને રાજા પિતાના અંતરમાં બહુજ ખેદ પામ્ય અને ચિંતવવા લાગે કે-અહ! મારા એશ્વર્યને ધિક્કાર થાઓ, મારૂં ચાતુર્ય પણ વૃથા છે કે હું પ્રૌઢ પૃથ્વીપતિ છતાં જગદાધારરૂપ ધર્મમાર્ગના ધુરંધર આ સાધુઓ અતિશય સદાય છે. આ પ્રમાણે ક્ષણભર ચિંતવીને તે આચાર્યને વારંવાર વંદન કરતાં રાજાએ સુધારસ સમાન મધુર વચનથી કહ્યું કે-“હે ગુરે ! આ રાજ્ય, સ્ત્રીઓ, સંપત્તિ અને આ ગૃહે
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy