SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ ૨૩૭ (આ છ યતના કહેવાય છે). વાદી, કવિ, ધર્મકથક, તપસ્વી, નૈમિત્તિક, પ્રવચની, સિદ્ધ અને વિદ્યાધર–એ આઠ પિતાની પ્રતિભાને પ્રભાવથી શાસનને મહિમા વધારનારા હેવાથી પ્રભાવક કહેવાય છે. રાજાભિયોગ, ગણુભિગ, બેલાભિ ગ, દેવાભિગ, કાંતારવૃત્તિ (આજીવિકા) તથા ગુરુનિગ્રહ એ છ આગાર છે. જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, ભક્તા છે, જીવને મિક્ષ છે અને તેને ઉપાય પણ છે–એ છ સ્થાન સમ્યકત્વી પુરુષોને શ્રદ્ધગમ્ય છે. મૂળ, દ્વાર, આધાર, પ્રતિષ્ઠાન, ભાજન અને નિધિએ સમ્યકત્વરૂપ શુદ્ધ ધર્મની છ ભાવના છે. એ પ્રમાણે સડસઠ બોલથી શુદ્ધ સમ્યક્ત્વને આશ્રય કરનાર પ્રાણી તીર્થંકર પદવી મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. વળી જે પ્રાણી શુદ્ધ સમ્યક્ત્વયુક્ત શ્રાવકનાં બાર વ્રતનું આરાધન કરે છે તે સ્વર્ગ સુખને પામે છે.” આ પ્રમાણે ગુરૂમહારાજની શિક્ષાને સ્વીકાર કરી. તેમના ચરણકમળને વાંદીને રાજા પોતાના સ્થાને ગયે. પછી સમ્યફવને નિઃશંકાદિ ગુણથી નિરતિચારપણે પાળતાં રાજા જિનમતની ઉન્નતિ કરવા લાગ્યા. આત્મશુદ્ધિના નિમિત્તે જિનેન્દ્રોક્ત સાતે ક્ષેત્રોમાં તે પિતાની સંપત્તિને કૃતાર્થ કરવા લાગ્યું. વિદ્વજનોની સાથે જિનસિદ્ધાંતમાં કહેલ સુયુક્તિપૂર્વક જીવાજીવાદિ તત્ત્વોનો વારંવાર વિચાર કરીને રાજા સમ્યક્ત્વને વ્રતમાં દેવને પણ અલ્પ એ વસુધા. પર એક મેરૂ પર્વત જે નિશ્ચળ થયે.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy