SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સ : ૧૭મે [૪૫૧ નગરમાં આવીને ઉદ્યાનપાલે રાજા યુધિષ્ઠિરને પ્રભુના આગમનના સમાચાર આપ્યા, યુધિષ્ઠિરે ઉદ્યાનપાલકને સાડાબાર લાખ સેાનામહારા વધામણીની આપí. ભીમ વિગેરે .ભાઇએ તથા સામતાથી પરિવરેલા ડિલેાને આગળ કરી, સુંદર રાજહસ્તિ ઉપર બેસીને ત્રણ જગતના નાથને વંદન કરવા રાજા યુધિષ્ઠિર નીકળ્યા, અનેક નાગરિકા સહિત રાજા યુધિષ્ઠિરે સમવસરણમાં પ્રવેશ કર્યાં, રાજાએ તે વખતે છત્ર, ચામર, વિગેરે રાજચિન્હાને સૂકી પાંચ અભિગમ સાચવી, સુરાસુર નરથી સેવિત, દેશનામૃતથી જગતના ઉપકારી, ભવરૂપી તાપના દુઃખને દૂર કરવામાં નવીન મેઘ સમાન, ભગવાન નેમિનાથને યુધિષ્ડિરે જેયા, ત્રણ પ્રદક્ષિણા દઇને હર્ષોંના આંસુએ વહાવતા યુધિષ્ઠિરે હાથ જોડી પ્રભુની સ્તુતિ કરી. ભયંકર સંસારરૂપ ઉજજડ પ્રદેશમાં વૃક્ષરૂપ! અજ્ઞાનરૂપી અધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ભગવાન ! આપ જયવતા વર્તા, આપના ચરણ કમલની સેવના, કલ્પલતાની જેમ તમામ સપત્તિને આપવાવાળી છે. આપના ચરણરૂપ વૃક્ષની શીતળ છાયામાં વિશ્રામ કરવાવાળા પ્રાણીઓના આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ભવરૂપી તાપ નષ્ટ થઈ જાય છે. ભવઢાવાનલરૂપી જ્વાલાથી સંતપ્ત પ્રાણીઓને આપતુ' સ્વરૂપ અમૃત જલ સમાન છે. આપના નામરૂપી મંત્રનુ સ્મરણ કરવાવાળા જીવાને અનેક પ્રકારની સપત્તિએની પ્રાપ્તિ થાય છે. પ્રભા ! હું ઈચ્છા રાખુ
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy