SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ] - [પાંડવ ચરિત્રે મહાકાવ્યું હેય તે આ કામ કઠીન નથી માટે આપ લોક જલ્દીથી જઈને પાંડના મસ્તક કાપી મને બતાવે. કેમકે મારા પ્રાણ હવે વધારે સમય સુધી ટકી શકે તેમ નથી. એકલે અશ્વત્થામાં આ કામ કરી શકે તેમ છે. તે પછી તમે ત્રણે જણા મળી આ કાર્ય અવશ્ય કરવાના છે. આ પ્રમાણે કહી દુર્યોધને તેમને વિદાય કર્યા. - તે ત્રણે જણ પાંડવેની છાવણીમાં આવ્યા. યુદ્ધ કરવાને માટે તેઓએ પડકાર કર્યો કે આજે અશ્વત્થામા તમારે માટે યમરાજ બનીને આવ્યું છે. તેના વચનને સાંભળી તરત જ ધૃષ્ટદ્યુમ્ન અને શીખંડી બહાર નીકળી પડયા. અશ્વત્થામાએ ભીષ્મ અને દ્રોણને બદલે લેવા માટે અમેઘ શસ્ત્રોથી તે બંનેના મસ્તક કાપી નાંખ્યા. બંનેના મૃત્યુથી પાંડવોની સેના ભાગી છૂટી. ત્યારબાદ પાંચ પાંડે ક્રોધાવેશમાં આવીને યુદ્ધ મેદાનમાં આવ્યા. ભયંકર યુદ્ધ ચાલ્યા બાદ અશ્વત્થામાએ પાંચ બાણોથી પાંચ પાંચાલોને શિરછેદ કર્યો. ત્યાંથી તે ત્રણે જણ ખુશ થતા દુર્યોધનની પાસે આવ્યા અને પાંચે પાંચાલોના મસ્તકો દુર્યોધનની સામે મૂકી અગ્નિ સળગાવ્યા. | દુર્યોધન તેઓના મસ્તક જોઈને ઓળખી ગયે. દુઃખી થઈને બેલ્યો કે! આપ લેકેએ આ શું પરાકમ કર્યું? કે પાંચાલોની હત્યા કરી? મારા જીવતા હું પાંડના મસ્તકો જોઈ ન શક્ય. એ પ્રમાણે નિઃસાસા મુકતો દુર્યોધન મરણને શરણ થયે. ત્યારબાદ તે ત્રણે જણ
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy