SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગઃ ૧ ] [ર મથુરા નગરીને આલિંગન કરે છે. તે નગરીમાં સ્થ” નામના એક તેજસ્વી રાજા રાજ્ય કરે છે. જેના નામથી જ યાદવવંશ જગતમાં પ્રખ્યાત થયેલ છે. તેમને “શૂર નામે સૂર્ય સમાન તેજસ્વી પુત્ર હતું, જેના અભ્યદયથી શત્રુઓ પર્વતની ગુફાઓમાં જઈને ભરાઈ ગયા હતા, “શૂર” રાજાને શૌરિ અને સુવીર, નામના બે પુત્ર થયા, તે બંનેને અનુક્રમે રાજા. તથા યુવરાજપદ આપી “શૂર” રાજા તપસ્યા કરીને સ્વર્ગવાસી થયા, તે બંને ભાઈ રામ લક્ષ્મણની સમાન અત્યંત તેજસ્વી અને પરાક્રમી હતા, પરંતુ તે બંનેમાં હિતશત્રુઓએ કલેશના બીજ વાવ્યાં, શેરીરાજા સુવીરને રાજ્ય આપી. પિતાની ઈચ્છાથી કુશાત દેશમાં જઈને વિચરવા લાગ્યો, ત્યાં તેણે શૌરિપુરનામનું એક નગર વસાવ્યું. જેમાં ઘણા શ્રીમંત આવીને વસવા લાગ્યા, તેથી તે શહેર વૈભવશાળી ગણાતું હતું. - શૌરિરાજાને અન્ધકવૃણિ આદિ અનેક પ્રતાપી પુત્ર થયા, અંધકવૃષ્ણુિને રાજ્યભાર સુપ્રત કરી શૌરિરાજાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તપ તપી મુક્તિએ ગયા, સુવરરાજાને ભેજવૃષ્ણિ આદિ પુત્રો થયા, જેના પ્રતાપને દુશ્મન રાજાઓ જીરવી શકતા નહોતા. સુવીરરાજાએ ભેજવૃષ્ણિને મથુરાનું સામ્રાજ્ય આપી પિતે સિધુ દેશમાં સૌવીરનામનું નગર વસાવ્યું. ભેજવૃષ્ણિને શત્રુઓને અંતકાલ લાવનાર ઉગ્રસેન નામે પુત્ર હતો. . છે. અધકવૃષિણને સુભદ્રા નામની પત્નીથી સમુદ્રવિજ્ય
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy