SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ : ૧૧ * કે વત્સ ! જે ન્યાયમાર્ગને ચૂકી જાય છે તે માનવ જીવતા હોવા છતાં પણ મરેલા સમાન માનવામાં આવે છે. ત્યાર બાદ સ્વજન પણ તેને છોડી જાય છે. જ્યારે સ્વજને તેને છોડી દે છે ત્યારે તે મનુષ્ય તુચ્છ બની જાય છે, લકોને અનુરાગ જેના પર હોય છે તેની પાસે લક્ષ્મી જાય છે. માટે હજુપણ હે દુર્યોધન ! તું ન્યાયમાર્ગને નહિ સ્વિકારે તે લક્ષ્મી તને છોડી યુધિષ્ઠિરની પાસે ચાલી જશે, અથવા તું કર્ણ, ભીષ્મ, દ્રોણ વિગેરે ધનુર્ધારીએના બળ ઉપર પાંડવોથી લડવાની ઈચ્છા રાખતો હોય તે તે પણ ઠીક નથી, કેમકે ગંધર્વરાજની સાથે અથવા વિરાટરાજાની સાથે લડાઈમાં તે તેમનું પરાક્રમ જેએલું છે. વળી યુધિષ્ઠિરની આજ્ઞાથી અને તને ગંધર્વરાજના બંધનમાંથી મુક્ત ન કર્યો હોત તે તું કેવી રીતે છુટી શકવાને હતું, તને યાદ હશે કે વિરાટનગરમાં દયાથી અને તારી કીતિને લઈ લીધી અને તેને જીવતે જવા દીધે માટે વત્સ ! દ્વેષ છેડીને પાંડની ભૂમિ તેઓને આપી કુરૂવંશનું રક્ષણ કર. તે બંનેના વચનોને સાંભળી પિતાના બાહુબળનું અભિમાન કરતો દુર્યોધન બલ્ય કે પિતાજી ! તમે લેકે ક્ષત્રિય ધર્મને જાણતા નથી. હાથમાં આવેલું રાજ્ય ક્ષત્રિય થઈને કણ મુકવા તૈયાર થાય છે? વળી છેડી દેવાથી લેકમાં કીતિને લાંછન લાગે છે, ન્યાય પણ તે જ ન્યાય છે કે જે તેજસ્વીઓને માન્ય હોય. તમે લોકો
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy