SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય લાગ્યા કે આ કાઇ વિદ્યાધર છે કે સાક્ષાત્ ધનુવે છે ? શુ' સાક્ષાત્ વીરરસ છે? આ પ્રમાણે ઘણા સમય સુધી હું બૃહન્નને જોતા જ રહ્યો, જ્યારે તેના ધનુષના ટ'કાર સાંભળી દુશ્મના કાલાહલ કરવા લાગ્યા કે આ અર્જુન છે. આ અર્જુન છે. આ પ્રમાણે વાતા કરતા તે લેાકેાએ કહ્યુ કે અર્જુનના ખાણેાને જુએ, ત્યારે મેં મનમાં વિચાર કર્યો કે જે જગતમાં મેાટા ધનુર્ધારી તરીકે પ્રસિદ્ધ છે એવા પાંડવ અર્જુન તે નહિ હાયને ? ત્યાં જ મને વિચાર આવ્યા કે જેમ સૂર્ય સમુદ્રમાં જઈને પેાતાની રાત્રી પસાર કરે છે તેમ નટના રૂપને ધારણ કરી કદાચ અર્જુન પેાતાના ખરાબ સમય પસાર કરતા હશે. ખરેખર જો અર્જુન હાય તા તેના સારથિ બનવામાં મને શત્રુઓનો ડર શા માટે હાવા જોઈ એ ? આ પ્રમાણે વિચારીને નિર્ભ્રાય બનીને હ' સારથિ અની રથને દોડાવવા લાગ્યા, દીપકની સમાન જ્યાં ત્યાં તેના રથ દોડતા હતા ત્યાં ત્યાંથી અંધકારની જેમ દુશ્મના ભાગી છૂટતા હતા. એક તરફ અર્જુન એકલા હતા બીજી તરફ લાખાની સંખ્યામાં શત્રુએની સેના હતી. પરંતુ સૂર્યની સામે તારાગણની કાંઈ કિંમત નથી તેમ બૃહન્નટની સામે તે લેાકેા ટકી શકયા નહિ. અર્જુનના માણેાથી એક સાથે હજારાને મૃત્યુ પામતા મે જોયા. જેટલી સંખ્યામાં શત્રુઓ હતા તેટલી સંખ્યામાં મને અર્જુન દરેકની સાથે લડતા જોવામાં આવતા હતા.
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy