SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] [ પાંડવ ચરિત્ર મહાકાવ્ય સુધી પશુઓને અભયદાન આપવાની વ્યવસ્થા કરી. પુત્રની બીકથી કાઈપણ શિકારી આ રસ્તેથી નીકળતા નથી. હિંસક પ્રાણીએ આ વનમાં હિંસાથી દૂર છે. • આપના પુત્રના પરાક્રમથી ગભરાયેલા યમરાજ પણ કાઈ જનાવરને અકાલ મૃત્યુ નથી આપતા, આય પુત્ર ! આપે પણ આપના પુત્રની જેમ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈ એ, હોલ્લાસમાં આવેલા રાજા શાન્તનુએ પેાતાની પત્નીને કહ્યું કે ‘તમારા વચનથી મેં કાયમ માટે પ્રાણીએના શિકાર કરવાના છેાડી દીધા છે,” તમે તથા પુત્ર અને આજથી મારી સાથે રાજધાનીમાં ચાલેા, આજથી હું ભાગ્યશાલી છું. ગંગાએ કહ્યું કે હે પ્રાણેશ ! મારૂ “મન ધર્મીમાં જ રક્ત અનેલુ છે. ધર્મ વિનાના ગયેલા દિવસેાના પશ્ચાત્તાપ થાય છે. માટે આપ મને પ્રભુની સેવના, ઉપાસના કરવા દે. આપ આપના પુત્રને લઈ હસ્તિનાપુર જાએ, અને પ્રજાનું પાલન કરે. લીધેલી પ્રતિજ્ઞાનું પ્રાણની જેમ પાલન કરેા. રાજાને આ પ્રમાણે કહીને ‘ગગા’એ પેાતાના પુત્ર ગાંગેયને કહ્યું કે હે વત્સ ! તું જા અને તારા પિતાજીના મનારથા પુરા કર, તારા જેવા પિતા બીજા કેાઈ પુત્રને હશે કે કેમ ? તે પણ શંકા છે, તારા જેવા પુત્ર પણ બીજે કેાને છે ? માટે બુધ ચંદ્રમાના ચેાગની જેમ તમારા બંનેના યાગ થાવ, ત્યારે ગાંગેયે કહ્યું કે હું માતાજી! હું તમને છેાડીને જવા માટે અસમર્થ છું. આપને જ હું મારા માતાપિતા માનું છું. હું એક દિવસ
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy