SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् ભાવાર્થ - જ્યાં હંમેશા સ્તંભ વેદીના અગ્ર ભાગે વિશ્રાંતિ પામેલા ચંદ્રકાંત મણિના દીવાઓ પ્રત્યેક દિશાના અંધકારના આવેશને નાશ કરે છે અને બંને રીતે પતંગે દર્શાવેલા પોતાના હાસ્યના પ્રયાસને વિસ્તારે છે. તે સાથે વીતરાગ પ્રભુના ચરણની સમીપને લઈને કાજળ તથા સ્નેહની મૈત્રીને છોડી દે છે. ૩૧ વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર તે ચૈત્યની અંદર આવેલા ચંદ્રકાંત મણિઓના દીવાનું વર્ણન કરે છે. તે દીવાઓ પ્રત્યેક દિશાઓના અંધકારને દૂર કરે છે. બંને રીતે પતંગના હાસ્યના પ્રયાસને વિસ્તારે છે. એક રીતે પતંગનો અર્થ પતંગીયું અને બીજી રીતે પતંગનો અર્થ સૂર્ય થાય છે. સામાન્ય દીવાઓ પતંગના નાશનું કારણ થાય છે, ત્યારે આ દીવાઓમાં પતંગનો નાશ થતો નથી. તે દીવાઓ શ્રી વીતરાગ - પાર્શ્વનાથ પ્રભુના ચરણની સમીપ રહેવાથી અંજન અને સ્નેહથી રહિત છે. બીજા સામાન્ય દીવાઓમાં કાજળ થાય છે અને સ્નેહ એટલે તેલ જોઈએ છીએ, ત્યારે આ દીવાઓથી કાજળ થતું નથી, તેમજ તેમાં સ્નેહ-તેલની જરૂર પડતી નથી. ૩૧ अस्मिन्नास्थां स धत्तां चिरमधिमनसं यस्य साक्षादिक्षा स्वर्गस्वर्णाद्रिकूटस्फटिकगिरितटीरोहणांतःस्थलीषु । आरुह्योत्तुंगशृंगां गुरुशिखरशिखां यत्र देशांतरस्थानित्थं संबोधयंति प्रचलपटमयैः पाणिभिः केतुदंडाः ॥३२॥ __अवचूर्णिः- अस्मिन् चिरं आस्थां स धत्तां यस्य अधिमनसं स्वर्गस्वर्णाद्रिकूटस्फटिकगिरितटीरोहणांतःस्थलीषु साक्षात् दिदृक्षा अस्ति यत्रेत्थं उत्तुंगशृंगां गुरुशिखरशिखामारुह्य देशांतरस्थान् प्रचलपटमयैः पाणिभिः केतुदंडाः संबोधयंति दृष्टुमिच्छा दिदृक्षा सनि द्वित्वे चाप्प्रत्यये દિક્ષા રૂરી
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy