________________
UCUCUCUCUCUR
UZUCUCUCUC
INS
[LE LCULUCUE
'[EELEME
( મહૂમ શેઠ ચંદુલાલ હીરાચંદની ટૂંકી વી Bee જીવનરેખા ––RESS
ગુજરાતના પાટનગર અમદાવાદનો ભૂતકાળ ભવ્ય છે. હિન્દુત્વની મૂર્તિમંત ભાવના સમા પાટણની રમ્યતા અને સમૃદ્ધિ, વાધેલવંશી છેલ્લા કરણદેવના અત્ત પછી બાદશાહ ઔરંગઝેબના સુબાએના હાથે ચૂંસાઈ ગઈ. આશાવલ નામના એક ગામડા ઉપર બાદશાહ અહમદશાહની કૃપા વરસવાથી મુસ્લિમ ભાવનાનું કેન્દ્ર અમદાવાદ સં. ૧૪૬૯ માં વસ્યું. આજે પણ મીલ ઉદ્યોગના મોટા મથક યુરેપના લંકાશાયર જેવીજ હિન્દની ભવ્યતા સાચવતું આ શહેર ગૌરવવંતુ ઉભું છે.
આજે એ રાજનગરના નામે પણ ઓળખાય છે. આ રાજનગરમાં છેલ્લા દોઢસો વર્ષથી “કડા” નામના ગામથી દલીચંદ ભવાનનું કુટુબ આવીને વસેલું છે. ફતાશાની પોળમાં દલીચંદ ભવાનની ખડકી પણ આ કુટુમ્બના નામે પ્રસિદ્ધ છે.
વડ સવાલ ગુમાનચંદ સુત, શાસન રાગ સવાય, ગુરુભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમોદન ફળ પાય.
| (ચોસઠ પ્રકારી પૂજા, કળશે.) પુણ્યક કવિવર પંડિત વીરવિજયજી મહારાજે પણ જેમના પિતા ને પિતામહના નામને ઉપરની પંક્તિઓથી અમર કરી મૂક્યું છે, તે શેઠ દલીચંદના પુત્ર હીરાચંદનાં નવાં ધર્મપત્ની બાઈ ગંગાની કુક્ષીએ આપણું ચરિત્ર નાયક મહૂમ શેઠ ચંદુલાલને જન્મ સં. ૧૯૪૧ ના જેઠ સુદ ૧ ના રોજ થયો.
જન્મ પછી ત્રણ વર્ષ ભાગ્યેજ વીત્યાં હશે ત્યાં તે તેમનાં માતા