________________
(૯૯૦ ) . સુભાષિત-પદ્ય-રત્નાકર
જે મનુષ્ય નિમિત્તને-કારણને-ઉદ્દેશીને કેપ કરે છે તે મનુષ્ય તે નિમિત્ત દૂર થયેથી પ્રસન્ન થઈ શકે છે, પરંતુ જેનું મન કારણ વિના જ શ્રેષવાળું હોય તેવા મનુષ્યને લેકે શી રીતે પ્રસન્ન કરી શકે ? ન જ પ્રસન્ન કરી શકે. ૧૧. व्योमनि स वासं कुरुते, चित्रं निर्माति सुन्दरं पवने । रचयति रेखाः सलिले, चरति खले यस्तु सत्कारम् ॥ १२ ॥
મામિનોવિજ્ઞા. જે મનુષ્ય બળ પુરુષને સત્કાર કરે છે તે પુરુષ આકાશમાં મહેલ બનાવે છે, વાયુમાં સુંદર ચિત્ર ચિતરે છે અને પાણીમાં રેખા કરે છે એમ જાણવું. ( જેમ આ સર્વ વ્યર્થ છે તેમ લુચ્ચા માણસને સત્કાર પણ વ્યર્થ છે). ૧૨.
न विना परिवादेन, रमते दुर्जनो जनः । काकः सर्वरसान् भुक्त्वा, विना मेध्यं न तृप्यति ॥१३॥
મહામાત, સાત્તિપર્વ, - ૨૨૦, ગોળ ૨૭. દુર્જન માણસ પરની નિંદા કર્યા વિના આનંદ પામતે નથી. કાગડાએ સર્વ રસવાળું અન્ન ખાધું હોય તે પણ તે વિકા ખાધા વિના તૃપ્ત થતું નથી. ૧૩.
तेऽप्यधन्याः पशुप्रायाः, परार्थे य उदासते । तेषां त्वजननी भूयाद् , ये परद्रोहकारिणः ॥ १४ ॥
પરોપકારના કાર્યોમાં જે માણસ ઉદાસીનતા બતાવે છે તે અધન્ય અને પશુ સમાન છે અને જે લેકે બીજાને દ્રોહ કરનારા છે તેથી તેવાઓની માતા ન થવું. ( અર્થાત્ તેવા પુત્રને જન્મ ન આપ.) ૧૪.