________________
જૈન દર્શન.
( ૭૫ ) જગત્ની તમામ સત્ વસ્તુઓના નિશ્ચય કરે છે, ( જ્યાં ધર્માસ્તિકાય વિગેરે ) છ દ્રવ્યો બતાવ્યાં છે તથા જે શાંતિ અને ઇન્દ્રિય દમન વિગેરે ગુણાથી શાલિત છે. તે જૈનધમ છે. ર.
અનેકાન્તવાદઃ—
एकान्तेऽघटमानत्वाद् वस्तुतत्त्वस्य सर्वथा ।
अनेकान्तस्ततः कान्तः, स्वीकार्यः सौख्यमिच्छता ॥ ३ ॥ હિમાંશુવિનય ( અનેાન્તી )
એકાન્ત નિત્યતા વિગેરેમાં કાઇ પણ રીતે વસ્તુની સિદ્ધિ થતી નથી. તેથી સુખની ચાહના કરનારે મનેાહર એવા અનેકાન્તવાદના સ્વીકાર કરવા જોઇએ. અર્થાત્ અનેકાન્તવાદ ( સ્યાદ્વાદ )ને સ્વીકાર કરવાથી જ પદાર્થોની સિદ્ધિ થઈ શકે છે. અન્યથા નહિ. ૩.
અનન્તધર્માત્મક વસ્તુઃ—
येनोत्पादव्ययधौव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु, तेनोक्तं मानगोचरः
|| ૪ ||
બોનસમુચ ( મિત્ર ), ો૦ ૧૭.
ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા; આ ત્રણવડે કરીને સહિત જે હાય તેને જ વસ્તુ માનેલી છે અને એમ હાવાના કારણે જ પ્રમાણુના વિષયભૂત વસ્તુને અનન્ત ધર્મ વાળી માનેલી છે. ૪.