SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબોધ તેનાં અન્તરમાં થયો. તેણે મનમાં સંકલ્પ કર્યો કે, “મારો વિવાહ થાય તો આ નટકન્યા સાથે જ, નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે ઘરે આવ્યો પણ મને તો નટડીમાં જ હતું. માતા-પિતાએ યોગ્ય સમયે ઈલાપુત્રના વિવાહની વાત કાઢી ત્યારે તેણે પોતાની હકીકત જણાવી દીધી. માત-પિતાએ ખૂબ ખૂબ સમજાવ્યો પણ તેનું મન એકનું બે થયું નહિ અને તે ઘરને માત-પિતાને છોડીને નટપરિવાર પાસે પહોંચી ગયો. ઈલાપુત્રે તો પોતાની મેળે જ શરમ રાખ્યા વગર તે નટોના મુખ્ય નટ પાસે જઈને પુષ્કળ ધન આપવા સાથે તે રૂપવતી કન્યાની માંગણી કરી. નટ તો આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. તેણે ઈલાપુત્રને કહ્યું કે- “આ નટકન્યા તો અમારું અક્ષય ધન છે. અમારા સર્વના જીવનનો આધાર એની ઉપર છે. તેનો સોદો કાંઈ પૈસાથી થાય નહિ.” “તો તમે કહો તેમ કરું એમ જયારે ઈલાચીએ કહ્યું ત્યારે નટે જણાવ્યું છે કે- ‘તમે જો નટવિદ્યામાં પારંગત બનો અને બેન્નાતટ નગરના રાજાની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ પારિતોષિક મેળવો તો નટકન્યા મળે.' સાંભળીને ઈલાચી તૈયાર થઈ ગયો ને નટવિદ્યાનું શિક્ષણ શરૂ કરી દીધું. સ્નેહને દુષ્કર કાંઈ નથી ને દૂર પણ કાંઈ નથી. તે સમયે બેન્નાતટનો રાજા આ વિદ્યાનો નિષ્ણાત ગણાતો હતો. દર વર્ષે તેની અધ્યક્ષતામાં નૃત્યકળાની પરીક્ષા લેવાતી હતી અને પારિતોષિકનું વિતરણ કરાતું હતું. એ રાજાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઈનામ મેળવવું એ એક સૌભાગ્ય ગણાતું. એ મેળવનારની કીર્તિ દિગંત સુધી પ્રસરતી. એ પરીક્ષા આપવા માટે ભલભલા વર્ષો સુધી જહેમત કરતા હતા. ઈલાચી તો એક વર્ષમાં તૈયાર થઈ
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy