SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ ૭૩ શતકમાં વર્ણવ્યું છે. તે ઘણું મનનીય ને કંઠે કરવા લાયક છે. તે ચાર સૂક્તો આ પ્રમાણે છે. (સવૈયા) (મૈત્રીભાવના) હિતચિન્તનથી સર્વ સત્ત્વની સાથે ચેતન ! મૈત્રી જોડ, વૈર વિરોધ ખમાવી દઈને ઈર્ષ્યા અન્ધાપાને છોડ; માત-પિતાને બન્ધુ રૂપે, સર્વ જીવ સંસારે સંસારે હોય, દ્વેષ ભાવના વિણ આ જગમાં સબળો શત્રુ છે નહિં કોય. ૧ (પ્રમોદભાવના) જિલ્લા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમે કરજે ગાન, અન્ય કીર્તિને સાંભળવાને સજ્જ થજો હે ! બંને કાન; પ્રૌઢ લક્ષ્મી બીજાની નિરખી નેત્રો તુમ નવ ધરજો રોષ, પ્રમોદ ભાવના ભાવિત થાશો તો મુજને તુમથી સંતોષ. ૨ (કરુણાભાવના) જન્મ જરા મૃત્યુનાં દુઃખો અહોનિશ સહેતું વિશ્વ જણાય; તન ધન વનિતા વ્યાધિની ચિન્તામાં સારો જન્મ ગમાય; શ્રી વીતરાગ વચન પ્રવહણનો આશ્રય જો જનથી કરાય, તો દુ:ખસાગર પાર જઈને મુક્તિપુરીમાં સૌખ્ય પમાય. ૩. (માધ્યસ્થ્યભાવના) કર્મતણે અનુસારે જીવે સારાં નરસાં • કાર્ય કરાય, રાગ-દ્વેષ સ્તુતિ નિન્દા કરવી તેથી તે નવ યુક્ત ગણાય; બળાત્કારથી ધર્મપ્રેમ વીતરાગ પ્રભુથી પણ શું થાય, ઉદાસીનતા અમૃતરસનાં પાન થકી ભવભ્રાન્તિ જાય. ૪.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy