SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુરિન્દ્રિયનિરોધ ૪૫ હતો. બિલ્વમંગળને વેશ્યાએ કહ્યું કે- “તમને મારા રૂપની જેવી ઘેલછા લાગી છે, તેવી પરમાત્મામાં લાગે તો શું ન થાય !” બસ તેનો જીવનરાહ બદલાઈ ગયો. રૂપ તરફ ખેચનારી આંખોમાં તેણે અંગારા ચાંપી દીધા. તે સુરદાસ બન્યો ને પરમાત્મામાં કૂપ બની ગયો. કહેવાય છે કે યમુનાને તીરે શ્રીકૃષ્ણ તેને દર્શન દીધાં હતાં તેને નેત્રો મળ્યાં હતાં પણ પ્રભુને જોયા પછી ફરીથી પણ તેણે નયનોને અંધ બનાવી દીધાં હતાં. તેને થયું કે જે આંખે ભગવાનને જોયા તે આંખે હવે બીજું જોવાનું શું ! ભલે આ વાત ઈતરોની રહી પણ તેમાં આંખની અવળચંડાઈ આબેહૂબ ઊપસી આવે છે. જો તેને વશ રાખી હોય તો તે અદ્ભુત દર્શન કરાવે છે. માટે નયનને વશ ન થતાં નયનને વશ રાખવી એ શ્રેયસ્કર છે. ૧૧.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy