SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુરિન્દ્રિયનિરોધ ૪૩ વિશદાર્થ - જોવું, સારું જોવું એ આંખને-નેત્રને ગમે છે. સુંદર રળિયામણાં દશ્યો જોઈને જો તેમાં વિવેક રાખવામાં ન આવે તો મહા અનર્થ થાય છે. ઈન્દ્રિયોને પ્રણાલી કહી છે તે યથાર્થ છે, તે દ્વારા જ્ઞાન મનમાં પહોંચે છે. એમાં પણ વિશેષ બાહ્ય જગતનાં ચિત્રો મન દ્વારા ખેચાય છે, અને મનમાં તેની છાપ ઊપસે છે. તેમાં કેટલાંયે હિતકારી હોય છે અને કેટલાંયે ખૂબ જ અહિતકારી હોય છે. એટલે જોવામાં વિવેકની ખૂબ જરૂર છે. પતંગને તો જાણો છો ને ? પતંગિયું તેનું મરણ કઈ સ્થિતિમાં શું પ્રાપ્ત કરતાં થાય છે? તેનું મરણ કદી જોયું છે ? તેમાંથી બોધ લીધો છે ? લેવા જેવો છે હો. તેને રૂપ અત્યંત પ્રિય છે. તે રૂપને સદા ખોળતું રહે છે. અત્યંત તેજસ્વી પદાર્થ છે પ્રદીપ, તે તેને જુએ છે અને તેને ઘણો આનંદ થાય છે. ત્યાં જ તે વિવેકને ગિરે મૂકીને ઝંપલાવે છે. દીવામાં તરત જ પંચત્વ (મૃત્યુ) પામે છે. અહીંયાં પતંગિયું દીવામાં પડતી વખતે વિચાર કરે કે મારું હિત શેમાં ? ઉજળું હોય પણ અહિતકારી હોય તો તે શા કામનું ? એમ આપણે પણ આપણા નેત્રથી સર્વ પદાર્થોને નિરખીએ છીએ. તેમાં બધા જ પદાર્થો કંઈ જોવા યોગ્ય હોતા નથી. ઈન્દ્રિય દ્વારા કઈ વસ્તુ અને ક્યા ભાવ, મનમાં જવા દેવા અને ક્યા ન જવા દેવા તે ખૂબ વિચાર કરવા જેવું છે. આખરે વિચાર ન કરવાથી પતંગિયું દીવામાં ઝંપલાવે છે, પંચત્વ પામે છે. આપણે પણ ચક્ષુરિન્દ્રિયના વિષયો જોતાં ખૂબ વિચાર કરવો કે આ જોવાથી આપણા આત્માનું આમાં કાંઈ અહિત તો થતું નથી ને ? એને બદલે પરમાત્માના પરમ પવિત્ર
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy