________________
મંગલ
કોઈના સિદ્ધાઇપત્ર અને વિશેષ
વણાયેલા હોય છે. (૮) વાંછાપૂરણ - ત્રણ જગતના ભક્તિપ્રધાન જીવોની અભિલાષાને પૂરવામાં કલ્પવૃક્ષ જેવા પરમાત્મા છે. (૯) અકલ - જેઓનું જીવન કોઈપણ રીતે કોઈનાથી કળી શકાય એવું નથી. (૧૦) વિજ્ઞાનલા - જેઓ જે વાતમાં સિદ્ધહસ્ત છે એ વાતને દ્યોતક-વ્યક્ત કરનાર આ વિશેષણ છે. કોઈપણ જાતના વિઘ્નરૂપી અગ્નિને શમાવવામાં મેઘ જેવા. આ તેઓનું સાર્થક વિશેષણ છે. આ વિશેષણનો પ્રતીતિકર અનુભવ અનેક શ્રદ્ધાળુ જીવોને પ્રત્યક્ષ રીતે થાય છે અને આવા જ ઘણા હેતુઓથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અનેક ભવ્યાત્માના જીવનનું મધ્યબિંદુ છે. આરાધ્ય છે. (૧૧) સમંગલ - જે મંગળ સ્વરૂપ છે. જેના નામસ્મરણથી આત્માને પગલે પગલે મંગળમાળા થાય છે. એની સેવા તો શું ન કરે ? એવા પરમ પુરુષ પુરુષાદાનીય-આદેય નામકર્મના ઉદયવાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને હું સમ્ય રીતે સ્તવું છું.સ્તુતિ કરું છું. ૧.