SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ત્રીજી ઉચિત કરણી : મUIઠ્ઠ મવસંશુ ય મારે I અનાદિ કાળથી જે મોહવાસના, વિષયલંપટતા, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ રૂપી અવગુણો સ્વયંના આત્મામાં રહેલાં છે તેની હાનિકારકતાનું પણ નિયમિત ચિંતન કરવું જોઈએ. (૪) ચોથી ઉચિત કરણી : ૩માહિત્તિ ૩૫થMમિત્તાdi | જે હિંસા વિગેરે અનાદિકાલીન દોષો આત્મામાં રહેલાં છે તે દોષો સાથે અધર્મમિત્ર એવા જીવોની પાક્કા પાયે દોસ્તી છે, અધર્મ મિત્રો તે દોષો પ્રત્યે અત્યંત સહયોગી વલણ ધરાવનારાં છે. આ વાસ્તવિકતાનું ગંભીર રીતે ભાવન કરવું જોઈએ. આ ચોથું ઔચિત્ય જે પાળે છે તે અધર્મ મિત્રોથી વેગળા રહેવામાં સહજ રીતે સફળ પૂરવાર થાય છે. (૫) પાંચમી ઉચિત કરણી: ૩મયત્નોનાદિયત્ત ! એવું પણ ચિંતન કરવું જોઈએ કે અધર્મમિત્રોની સોબત આલોક અને પરલોક, ઉભયલોકને ગતિ બનાવે છે કેમકે દોષો તરફ સહયોગી વલણ રાખનારાં, પ્રીતિ રાખનારા તે અધર્મમિત્રો છે અને તેમનો સંગ જો તમે કરો છો તો તેમનામાં રહેલાં “દોષપક્ષપાતીમાં તમારી પણ અનુમોદના ઊભી થઈ જવાની શક્યતા રહેલી છે. હવે જો “દોષ પક્ષપાતીમાં અનુમોદના ઊભી થઈ ગઈ તો તો આત્માનો વર્તમાન ભવ પણ નિંદનીય બની જાય અને ભાવિ જન્મ પણ નિંદ્ય કોટિનો બની જાય. આમ, બંને ભવ વિફળ થઈ જાય. 65 द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy