SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આજે તમારી લક્ષમી અને વૈભવે તમને દેવ, ગુરૂ અને ધર્મની નજીક લાવવાને બદલે હર લઈ જાય છે. સાચી શ્રીમંતાઈ કોને કહેવાય? જેમ જેમ ધન વૈભવ વધે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરૂ અને ધર્મની નજીક તમને લઈ જાય તે જ ખરી શ્રીમંતાઈ છે. દેવાનુપ્રિય! આ જીવે અજ્ઞાનને વશ થઈ કેટલાં કર્મો બાંધ્યાં? હવે આવું વિતરાગ શાસન પામ્યા પછી કંઈક તે સમજે. ભૂલ કરી તે કરી પણ હવે ફરીને ભૂલ ન થાય તેને માટે ખૂબ સાવચેત રહેવાનું છે. કદાચ અજાણ પણે ભૂલ થઈ જાય તે તેને ખૂબ પશ્ચાત્તાપ થ જોઈએ કે હવે ફરીને મારાથી કદી આવી ભૂલ ન થાય. એક વખત ચાર છોકરાએ જુગાર રમી રહ્યા હતાં. તેમાંથી એક પ્રધાનને પુત્ર હતો. બીજે પુરોહિતને દિકરો હતે. ત્રીજે મુસલમાનને દિકરા હો અને એથે કેળીને દીકરે હતે. આ ચારે જણને જુગાર રમતાં પિલીસ જેઈ ગયે. એટલે તેઓને પોલીસે પકડી લીધા. અને રાજાની પાસે લાવ્યા. હવે ચારેય જણાં જુગાર તે રમ્યા હતા. ગુહે ચારેયને સરખે હતું, છતાં રાજાને દંડ ચારેયને માટે જુદો હતો. દરેકની શિક્ષામાં ફરક હતો. પ્રધાનના દિકરાને રાજાએ કહ્યું ભાઈ ! તું કોને દિકરે છે? આવા કોની સાથે તું જુગાર રમે ? આ તને શોભે છે? બસ રાજાએ આટલું જ કહ્યું ત્યાં પ્રધાન પુત્ર શરમાઈ ગયે. અને ફરીને જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા લીધી. એટલે રાજા કહે છે, બસ તું હવે ઘર ભેગો થઈ જા. બીજો પુરોહિતને પુત્ર હતો. તેને રાજાએ કહ્યું: તું બ્રાહ્મણ-કુળમાં ઉત્પન્ન થઈ આવા નીચ લેકની સાથે જુગાર રમે? તારા પિતા કેણ છે? જુગાર રમવાથી કેટલા અનર્થે થાય છે? એ તને ખબર નથી ! ચરમ શરીરી–મેક્ષગામી છ જે પાંડવે દુર્યોધન સાથે જુગાર રમ્યાં તેનું શું પરિણામ આવ્યું? જુગારમાં સતી દ્રોપદીને હોડમાં મૂકતાં પણ અચકાય નહિ. અને હારી ગયાં. અને ચૌદ ચૌદ વર્ષ વનવાસ ભોગવવું પડશે. આ સાંભળી પહિતના પુત્રને પણ પસ્તા થયો. અરે ! હું કે પાક? મારા લીધે મારા બાપને પણ સહન કરવું પડશે. રાજાએ તેને સે રૂપિયા દંડ કરીને છોડી મૂકો. ત્રીને મુસલમાનને પુત્ર હતું. તેના સામું જઇને રાજા કહે છે કે તારે બાપતે સવાર-સાંજ બે ટાઈમ નમાજ પઢનાર છે. મુસલમાને ગમે ત્યાં જાય. ચાહે ગામમાં હોય કે બહારગામ જાય કે ગાડીમાં હેય પણ તે લેકે તેમને નિયમ ચૂક્તા નથી. અને આ અમારા ભગવાનના શ્રાવકેને સામાયિક કરતાં શરમ આવે છે. મુહપતિ બાંધતા શરમ આવે છે. અને પ્રતિક્રમણ કરવું તે ગમતું જ નથી. તમને રેડિયે સાંભળવામાં, ફરવા જવામાં આનંદ આવે છે. ખરેખર ! જ્યાં કર્મનું બંધન થતું હોય ત્યાં શરમ આવવી જોઈએ. અને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy