SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૫ કહેશો કે હું તે એક દિવસ પણ આ મકાનમાં રહે નથી, તે એનું ભાડું કેવું ? તે એ મકાન માલિક શું કહેશે? તમે રહે કે ન રહે, એને કઈ પ્રશ્ન નથી. પણ બે વર્ષ સુધી તમે એના માલિક રહયા છે. બંધુઓ! મકાનને તાળું તમે માર્યું છે અને. એ વાત પણ સાચી છે કે તમે તમારૂં માલિકીપણું કાયમ ચાલુ રાખ્યું છે, તે તમારે એનું ભાડું પણ આપવું પડશે. આવા માલિકીપણાને જ તે આધ્યાત્મિક ક્ષેત્રમાં આસક્તિ. કહે છે. આવી આસક્તિને જ્યાં સુધી ત્યાગ કર્યો નથી ત્યાં સુધી આશ્રવ ચાલુ જ રહેશે. પ્રત્યાખ્યાન જ આશ્રયદ્વારને રોકી શકે છે તેમજ પ્રત્યાખ્યાન ઇચ્છાને નિરોધ કરે છે. કારણ કે ઈચ્છાને મર્યાદિત કર્યા વિના પ્રત્યાખ્યાન સંભવી શકતા નથી. એટલે પ્રત્યાખ્યાન, દ્વારા જ આત્મા ઈચ્છાઓ પર કંટ્રોલ કરી શકે છે. પછી જે પદાર્થોને એણે ત્યાગ કર્યો છે એ એના મનમાં કદી લેભ-લાલચ કે આસક્તિ પેદા કરી શકશે નહિ. એથી લાભ એ. થાય છે કે મનની તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે અને સાધક આત્મા સંતોષી બની શકે છે. દેવાનુપ્રિયે ! હવે આપણે મૂળ સિદ્ધાંત પર આવીએ. કમલાવંતી દેવી વૈરાગ્યના રંગથી રંગાઈ પિતાના પતિને શું કહી રહી છે તે ખૂબ સમજવા જેવી વાત છે. गिद्धोवमा उ नच्चयाण, कामे संसार वटूढणे ।। કર સુવUવારે , સંક્રમા તળું રે ઉ. અ. ૧૪-૪૭ હે નાથ! આ કામગ ગીધ પક્ષીના મુખમાં રહેલાં માંસના ટુકડા સમાન છે. અને સંસારને વધારનાર છે. એવું જાણીને જેમ ગરૂડ પાસેથી શંકિત થયેલે સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યો જાય છે તેમ હે રાજન ! કામગ સંસાર વૃદ્ધિનાં કારણ જાણીને આપણે છોડવા જેવા છે. અને યતના પૂર્વક સંયમ માર્ગમાં વિચરવાને ઉદ્યમ કરવા જેવું છે. કારણ કે સંસારમાંથી જે સમજીને સરકી જાય છે તે મહાન સુખને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી સંયમની સાધના ઉપર આત્મા જ નથી ત્યાં સુધી તે શાશ્વત સુખને પામી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે હે સ્વામીનાથ ! જેવી રીતે સર્ષ ગરૂડથી બીતે રહે છે તેવી રીતે મુમુક્ષુઓએ સદા પાપકર્મના આવરણથી બીતા રહેવું જોઈએ. કમલાવતી કહે છે હે નાથ! મને પાપને ભય લાગ્યો છે અને આપને પણ આત્માનું શાશ્વત સુખ જોઈતું હોય તે પાપથી ભયભીત બનવું જોઈશે. વધુમાં કમલાવંતી હજુ શું કહી રહી છે. ના દવ વંધનં જીિત્ત, કg વહેં વા . : ઘર્ચ પત્થ મજા, વસુથાર જ સુયં / ઉ. અ. ૧૪-૪૮ . | હે મહારાજા! જેવી રીતે હાથી બંધનને તેડીને સુખપૂર્વક વનમાં ચાલ્યો જાય છે તેવી રીતે આપ પણ કર્મના બંધને તેડીને આત્માના સાચા સુખનું સ્થાન એવા મેક્ષમાં ચાલ્યા જાવ. મારા બંધુઓ ! કમલાવતીને બંધન સાધ્યું છે, તેથી તે કમખે ધનતેડવી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy