SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૫ જોઈને એકાએક તેના માલિકને વિચાર થયા કે અહા ! મારા શેખને ખાતર કોઈના જન્મસિદ્ધ હૅક સમાન સ્વાત ંત્ર્યને છીનવી લેવું એ શું મારી માનવતા છે? આ વિચાર આવતાંની સાથે જ તે માણસ ઉભે થયા અને તેણે પિ ંજરુ ખાલી નાંખ્યુ. પણ તેમાંથી પંખી બહાર ન નીકળ્યુ. ઉલટુ અકથ્ય મનાવેઢના અનુભવતુ હોય તેમ તેણે જોયું. પંખી પેાતાની મૌન વાણીમાં કહી રહ્યુ` હતુ` કે મારા માલિક ! પિંજરું ખેાલીને શું તમે મને ઉડાડી મૂકવા માંગેા છે? એમ પ`ખીની અંતરવેઢના જોઈને ઘરના માલિક મેલ્યાઃ હૈ પ્રિય પ્ ́ખી ! મેં તારી સાથે અન્યાય કર્યો છે. તમે તેા નીલગગનના સ્વૈરવિહારી છે. નિરવધિ આકાશ પર તમારું સામ્રાજ્ય છે. વનરાજી ને વૃક્ષેા તમારા સિંહાસના છે. પવન તમારી સાથી છે. એવા સ્વતંત્ર સેનાની સમાન તમારા જીવનને માનવીય શાખ ખાતર એક નાનકડા પિંજરામાં કેદ કરી દેવું એમાં કંઇ માણસાઈ છે ? માનવનુ કયું ગૌરવ છે? કઈ યા છે? જા, 'ડી જાએ, તમે મુક્તવિહારી છે. આજ હુ વહાલથી વિદાય આપું છું. પંખીએ આ સાંભળી ઊડોનિસાસેા નાખ્યા. મારા માલિક, આજ મને વિદ્યાય ન આપે. આટલા આટલા દિવસેા સુધી પાળી પાષીને હવે જવાનું ન કહેા. મને આ પિંજર છોડી બહાર જવું ગમતુ નથી. આ પંખીના ન્યાયથી હું આપને એટલું જ કહેવા માંગુ છું કે પંખીનું ખરુ' સ્થાન તે આકાશમાં ઉડવું તે હતું પણ ખધનમાં પુરાવું તે ન હતું. પણ પિંજરામાં રહેવાથી તે પેાતાનું સાચું સ્થાન ભૂલી ગયા. તેવી જ રીતે આજના માનવ પણ જીવનના સાચા ખ્યાલ ભૂલી ગયા છે. વિલાસ પ્રિયતાના પિંજરામાં જીવનને કેદ કરી પેલા પંખીની જેમ ભેાગમાં પડેલા, મેાહના કીચડમાં ખૂંચેલા માનવી કેટલે પાંગળા ખની ગયા છે! જયાં સુધી ઐહિક સુખ-વિલાસાને ફગાથી નહી' દે। ત્યાં સુધી મુક્ત જીવનના આનંદ માણી શકશે નહિ. .. જેવી પંખીની વાત તમારી પાસે કરી તેવી બીજી પણ એક વાત છે. એક માણસે મિલિટરીમાં ૬૦ વર્ષ સુધી નાકરી કરી. પછી એ નિવૃત થયા. તેમાં એક દિવસે ખજારમાં ઘી લેવા ગયેલેા. અને ઘી લઈ ને આવતા હતા ત્યાં બાજુના મેઢાનમાં સૈનિકેાની કવાયત ચાલતી હતી. એટલે સૈનિકાના વડાએ હુકમ કર્યાં. “ સાવધાન આ શબ્દ એના કાને પડતાં એ પણ સાવધાન થઇને ઉભા રહી ગયા. હાથમાંથી તપેલી પડી ને બધું ઘી ઢોળાઈ ગયું. ત્યાં એને ખ્યાલ આવ્યે કે અરે, હું કયાં નેાકરીમાં છું ? હુ તેા પેન્શન ઉપર છું. મને કહેનાર કાણુ ? સાવધાન થવાની આજ્ઞા તા પેલા સૈનિકોને આપવામાં આવી છે તેમાં મારે શુ ? ઉપયોગમાં આવતાં તે હસી પડયા. આમાં આપણે એટલું સમજાતુ છે કે તેણે વર્ષો સુધી સૈન્યમાં કામ કર્યું", એટલે તેને ટેવ પડી ગઇ હતી. સાવધાન ’ કહે એટલે માનવા, એ સૈનિકોના ધર્મ બની ગયા હતા. તેના રામ રામમાં આ સંસ્કાર પડી ગયા હતા. આ તે સૈનિકની વાત કરી. હવે તમારા તરફ વિચાર કરીએ. જેમ સૈનિકને સાવધાન શબ્દથી લડાઈ યાદ આવી જતી અગર સૈનિકાની તાલીમ યાદ આવી હતી,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy