SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭૪ કૂતરાને ચળ આવી ને સ્વાભાવિક જમીન ખેડી. એટલે તે જગ્યાએ પણ તેણે જમીન ખેતી પણ કાંઈ નીકળ્યું નહિ. એટલે ક્રોધે ભરાઈને તેણે કૂતરાના માથામાં એવી ડાંગ મારી કે તે તમ્મર ખાઈને ધરતી ઉપર પડી ગયે. * ' કૂતરાના મનમાં થયું કે હવે મારું મોત આવી ગયું છે. એટલે તેણે મનમાં સંકલ્પ કર્યો કે મારા માલિકને જે ધર્મ હોય તેનું મને શરણું હજો. માલિકના ધર્મનું શરણું લઈને કૂતરે મરણ પામ્યો એટલે તે દેવલેકમાં ગયે. ત્રણ દિવસ થઈ ગયાં એટલે બાઈ કહે છે, મારે મેતિ કૂતરો કયાં ગયે? ત્યારે પાડોશણ બાઈ કહે છે બહેન! એ તે કોણ જાણે કયાંય ભાગી ગયે છે. ભલી બાઈને ખૂબ અફસોસ થવા લાગે કે મારે મોતિયો કયાંય ભાગી જાય તેમ નથી, અને કયાં ગયો હશે? એમ ચિંતા કરે છે તે જ વખતે કૂતરે મરીને જે દેવ થયો છે તે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે કે હું કેના પ્રતાપે આ દેવ થયે? જોયું તે પિતાની ઉપકારી બાઈને અફસોસ કરતી જોઈ. રાત્રે તેને સ્વપ્ન આપે છે કે બહેન ! હું ભાગી ગયે નથી. પણ તારી પાડોશણ બાઈ - ખૂબ ઈર્ષ્યાળુ છે. તેણે મને માથામાં ખૂબ જોરથી ડાંગ મારી તેથી હું મરીને તારા પ્રતાપે દેવ થયો છું. તમારા ઉપકારને બદલે હું ભૂલી શકું તેમ નથી. તમે એક કામ કરજે, આ ગામની બહાર દક્ષિણ દિશામાં એક વન છે ત્યાં અમુક વૃક્ષ છે. તેનું લાકડું લાવીને એક ખાંડણી બનાવજે અને તેમાં જેટલી કદ નાંખીને ખાંડશે તે બધા ચેખા સોનાના થઈ જશે. સ્વપ્નમાં કહેવા પ્રમાણે ખાંડણી બનાવીને કમોદ ખાંડે છે તે બધા ચોખા સેનાના બની જાય છે. * પાડેશણ બાઈને આ વાતની ખબર પડી. એટલે કહે છે બહેન! તમારી ખાંડણી મને દેશો? ત્યારે ભલી બાઈ કહે છે ભલે લઈ જા. ઈર્ષાળુ પાડોશણ ખાંડણી લઈ જઈ - અંદર કોઇ નાંખી ખાંડે છે. પણ ચેખા સેનાના થતા નથી. ભાગ્ય વિના ભાગ્યશાળી બનતું નથી. એણે તે ખૂબ ખાંડયા તે પણ ચેખા સોનાના થયાં નહિ. એટલે ખાંડણી સોકમાં મૂકીને બાળી નાંખી. બીજે દિવસે પિતાની ખાંડણી માંગી. એટલે ઈર્ષાળુ બાઈ કહે છે તારી ખાંડણી તે બળી ગઈ. રાત્રે દેવે વખ આપ્યું કે બહેન! તમારી ખાંડણી મળી ગઈ નથી પણ એ. બાઈએ હાથે કરીને બાળી મૂકી છે અને ચેકમાં તેની રાખ હજી પડી છે. તે તમે લાવીને તમારા ઘરની પાછળ તમારા બાપ-દાદાને બનાવેલ જુને બગીચે છે અને જે હાલ સૂકા વેરાન બની ગયા છે તેમાં નાંખજે. તે તે લીલાછમ બની જશે. તેણે એ પ્રમાણે કર્યું એટલે બગીચે લીલે થઈ ગયે. એટલે પાછી પાડોશણ પૂછવા બિાઈ ભલીબાઈએ તે સાચી વાત કહી દીધી. ત્યારે કહે છે હું પણ એમ કરું. એમ વિચાર કરી ગામના રાજા પાસે જઈને કહે છે સાહેબ! હું આપને સૂકે બગીચે રાખ નાંખી તે નવપલ્લવ બનાવી આપું. રાજા કહે છે, ભલે બનાવે, હું જોઉં. તેણે રાખી .
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy