SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ કે : હસ્તિયાળ રાજા પ્રભુને વિનંતી કરતાં કહે છે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સુઝતી . આપ મહેર કરીને આ ચાતુર્માસ અહીં જ બિરાજે. અગાઉના શ્રાવકે મણ કેવા હતા અને રાજાઓ પણ કેવા હતા. પિતાના અમુક સ્થાને નિર્દોષ જ રાખતા. એ સિમજતા હતા કે કેઈક વખત આપણું ભાગ્ય હોય તે આપણને સંતના પગલાં કરાવવાને મહાન લાભ મળે. તમારે તો એક મકાન ખાલી પડી રહ્યું હોય તે ભાડાની હાય, તેથી ભાડે આપી દે છે. જ્યાં સુધી ગામમાં સ્થાનક હોય ત્યાં સુધી સંત ગૃહસ્થના મકાનમાં ઉતરે જ નહિ. પણ ગેડલ તરફ જતાં વચમાં તમારું મકાન આવતું હોય, એ મકાન જે ખોલી હોય તે સંતને ઉતારે આપી શકાય, પણ પૈસાની ભૂખ હોય ત્યાં આત્માને લબ કેણ જુવે? અનાદિકાળથી પેટની ભૂખ મટાડવા પ્રયત્ન કર્યા છે પણ આત્મા માટે કર્યો નથી. . ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતી સ્વીકારી છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. જેના મહા ભાગ્ય હોય તેને જ આ લાભ મળે છે. અઢાર દેશના રાજાઓ અને ઓગણીસમાં હસ્તિપાળ રાજા છઠું પિષા કરીને બેસી ગયા હતા. પ્રભુને પરિવાર પણું સાથે છે. દરેકના મનમાં એક જ ભાવના હતી કે બસ, હવે પ્રભુ તે મોક્ષે જશે, પછી આપણને આ અમૃતને ઘુટડો કણ પાશે? જેટલો લાભ લેવાય તેટલે લઈ લઈએ. અઢાર દેશના રાજાઓ પૌવંધ કરીને બેસી ગયા, તે શું એમને ચેપડા ખા કરવાના નહિ હોય ! (હસાહસ). એમને ઘણું કામ હતું છતાં છોડીને લાભ લેવા આવ્યા હતાં. પણ તમને તો દિવાળીના દિવસે ગામમાં સંતે બિરાજતા હોય તે પણ ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી.' 1 - કામ તે સહુને હોય પણ જેને આત્માની લગની લાગી છે તે બધું કામ પડતું મૂકીને આત્માની કમાણી કરવાને અવસર ચૂકશે નહિ. અઢાર દેશના રાજાઓ અને હસ્તિપાળ રાજાને છઠું પૌષધ હતો. ભગવાનને પણ છઠ્ઠ હતે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે છઠ્ઠનાં પચ્ચખાણ હતાં. કેવળજ્ઞાન સમયે પણ છઠ્ઠ હસે અને નિર્વાણ સમયે પણ છઠ્ઠના પચ્ચખાણ હતાં. ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ગયું હતું. ચાર ઘાતી કર્મને ક્ષય થવાથી જ કેવળજ્ઞાન થાય છે. એટલે પ્રભુને તપ કરવાની જરૂર ન હતી, કારણ કે અઘાતી કમ એવું આયુષ્ય પૂર્ણ થયે તો તેઓ નિયમા મામાં જવાના હતાં. પણ એમ બની શકે કે આયુષ્યકર્મ પૂરું થતું હોય અને બાકીના કર્મ વધારે હોય તો વિષમને સમ કરવા માટે કેવળીઓ કેવળ સમુદ્દઘાત કરે. પણ એ કેવળ સમદ્ ઘાત સામાન્ય કેવળીઓ કરે છે. તીર્થકર ભગવંત આવી સમુદૂઘાત કરતા નથી. પણ જગતના જીને બેધપાઠ મળે કે હે આત્માઓ! તપશ્ચર્યા કર્યા વિના તમારા - જુનાં કર્મો ખપવાનાં નથી. પ્રભુની વાણીને અખંડ લાભ મળે એટલે રાજાઓએ પણ છઠ્ઠ કર્યો હતે. કારણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy