SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ છે. જે લક્ષમીને માટે આજે રાષ્ટ્ર-રાષ્ટ્ર લડે છે, પિતા અને પુત્ર, માતા અને પુત્રી સાણ અને વહુ, દેરાણી-જેઠાણી ઝઘડાં કરે છે, એક માતાનાં જાયાં બે ભાઈ મઝીયારો વધે છે ત્યારે એક ચીજ ઓછી આવે તે એના ટુકડા કરે છે, કેટે ચઢે છે પણ એક સામાન્ય ચીજ માટે ઉદારતા દાખવતા નથી. લક્ષમી એવી ચીજ છે કે વહાલાને વેરી બનાવે છે. ભાઈ–ભાઈને પ્રેમ લુંટાવે છે. આજે દુનિયામાં જે કાંઈ ઝઘડા-ટંટા થાય છે તે બધું લક્ષમી માટે જ થાય છે. ચાર પવિત્ર આત્માઓ લમીને અનર્થનું કારણ સમજી ઘરનાં દ્વાર ખુલ્લા મૂકી ત્યાગ માગે નીકળી ગયા. પાછળથી ઈષકાર રાજાને ખબર પડી કે મારા માનનીય ભૂરું પુહિત વિપુલ સંપત્તિને ત્યાગ કરી, ઘર બાર ખુલ્લાં મૂકી, એના બે પુત્ર અને પત્ની સાથે દીક્ષા લઈને નીકળી ગયે. હવે એની સંપત્તિને કેઈ ધણી નથી. વળી એ સંપત્તિ તે મેં પોતે જ આપેલી હતી. એટલે એને ગ્રહણ કરવામાં કઈ જાતને દેવ નથી. એમ સમજીને રાજા, ભૃગુ પુરોહિતની સંપત્તિ પિતાના રાજ્યમાં લાવે છે. ત્યાં શું બને છે - મહે તે બેઠા રાણી કમલાવંતી, ઉડે છે ઝીણેરી એપ, સાંભળ હે દાસી, આજે રે નગરીમાં ખેપટ અતિ ઘણી. કાં તે રાજાએ પ્રધાનને દંડલીધે, કાં તે લૂંટી નગરી રાજાએ આજ, કાં તે કરવેરા રાજાએ વધારીયા, કાં કર્યો કેઈઅન્યાય...સાંભળો. .. ઈષકાર રાજાની રાણી કમલાવંતી મહેલના ગેખે બેઠી હતી. અહીં પણ મારી કમલાવંતી બહેને ઘણી બેઠી છે. જેજે, ઈષકાર રાજાની રાણી કમલાવંતી ડેવું કામ કરે છે! નગરીમાં ચારે બાજુ ઝીણી રજ ઉડી રહી છે. ચારે બાજુ દિશાએ ઝાંખી દેખાય છે. આ જોઈ રાણું પિતાની દાસીને પૂછે છે હે દાસી ! આજે આપણી નગરીમાં આટલી બધી રટી કેમ ઉડે છે? શું રાજાએ પ્રધાનને દંડ કર્યો છે? કે નગરીમાં લૂંટ ચલાવી છે. ? પ્રજા ઉપર કરવેરા નાંખીને પ્રજાને રાજા પડે છે કે કેઈ નિર્દોષ માણસને અન્યાય કર્યો છે? આમાંથી કઈને કઈ કારણ વિના આટલી બધી ધૂળ ઉડે નહિ. અને આજે ધૂળ કેમ ઉડે છે? કમલાવતી રાણી ખૂબ વિચિક્ષણ હતી. એ જેવી તેવી ન હતી. . તમે અન્યાય કરીને, ભેળા ઘરાકને છેતરીને પૈસા કમાઈ લાવે છે. તે આ શ્રાવિકાઓ કરી એમ પૂછે છે ખરી કે સ્વામીનાથ! આપણી પાસે આટલે બધે પૈસો ન હતે. અને હમણાં હમણાં તે તમે ઘણું કમાયા છે, તો આ પૈસે અનીતિનો તે નથી આવતું ને? કાળા બજાર તે નથી કરતા ને? સાચી શ્રાવિકા હોય તે જરૂર પૂછે. પણ આજે તે બધાની દષ્ટિ પૈસા ઉપર જ કરે છે. એટલે ગમે તેમ કરીને નાણાં કમાવા છે. ધનવાન બનવું એ એક જ લક્ષ છે. ત્યાં કાળા બજાર ને ધળા બજાર કયાંથી છ શા ૯૧
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy