SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ થયે હતેને ત્રણ પહેર બાકી રહ્યાં તેથી કૃષ્ણ કહ્યું કે પહેર ત્રણ બાકી છે અને આપણે પણ ત્રણ જણ છીએ. તેથી પહેલા પહેરમાં સારથી પછી બળદેવ અને ત્રીજા પહેરમાં હું એમ વારાફરતી જાગીએ અને ચેકી કરીએ. પછી કૃષ્ણ ને બળદેવ સૂઈ ગયા. અને સારથી પહેરે ભરવા લાગે. એટલામાં સામે હાડપિંજર ઝાડ ઉપરથી ઉતરી નીચે આવીને સારથી પાસે આવ્યું ને કહેવા લાગ્યું કે હું ભૂત છું અને કેટલાય દિવસને ભૂખે છું. તેથી હું તને કાંઈ નહીં કરું પણ બે જણ સૂતા છે તેનું લેહી મને પીવા દે. ત્યારે સારથી કહે છે કે મારા સ્વામીનું લેહી તને પીવા નહીં દઉં. આવી જ લડાઈ કરવા. પછી બંને જણ લડે છે. તેમાં સારથીને લેહી નીકળે છે. અને એમ કરતાં પહેરા પર થાય છે. તેથી તે ચાલ્યા જાય છે, અને પછી સારથી બળદેવને જગાડે છે. ને પિતે સૂઈ જાય છે. હવે બળદેવ પહેરે ભરવા આવ્યાં ત્યાં થોડીવારમાં તે અસ્થિબંધ જે ભૂત છે તે આવે છે અને કહે છે કે હું ભૂત છું. અને કેટલાય દિવસને ભૂખે છું. તને કંઈ જ નહીં કરું. બે જણ સૂતા છે તેનું લેહી પીવા દે. બળદેવ કહે છે લેહી પીવા તે નહીં દઉં. આવી જા લડાઈ કરવાં. ને તે બંને જણ લડે છે. તેમાં બળદેવને શરીર પર લેહી નીકળે છે. એમ બીજે પહાર પણ પૂરો થાય છે. તેથી તે ચાલ્યો જાય છે. પછી બળદેવ પણ કૃષ્ણને જગાડીને સૂઈ જાય છે. પણ કૃષ્ણને આ વાત કહેવાનું યાદ રહેતું નથી. અને વાત કર્યા વિના જ સૂઈ જાય છે. પછી કૃષ્ણ પહેરો ભરવા આવે છે. ત્યાં વળી તે ભૂત આવે છે. આવીને કહે છે હું કેટલાય દિવસને ભૂખે છું. છતાં તને કંઈ જ નહીં કરું, પણ મને બળદેવ ને સારથીનું લેહીં પીવા દે. ત્યારે કૃષ્ણ કહે છે લડાઈ કરવી હોય તે આવી જા. ૫ણું લેહી પીવા તે નહીં મળે. તે લડાઈ માટે તૈયાર થાય છે. કૃષ્ણ મહારાજ તે સીધી રોટી પકડી લે છે. ભૂતની ચેટી પકડાય એટલે હારી જાય. તે તે કૃષ્ણના ચરણમાં પડે છે. ને દાસ બને છે. પછી સવારના બંને ઉઠે છે અને જ્યાં કૃષ્ણ જુએ છે કે બંનેને લેહી નીકળ્યું. એટલે પૂછે છે કે આ શું? બંને જણ કહે છે અને તે ભૂત સામે સામને કરી તમારી રક્ષા કરી, ત્યારે કૃષ્ણ મહારાજે કહ્યું કે લડાઈ તે મેં પણ કરી પણ મને કંઈ ઈજા થઈ નથી. ચેટી પકડી લીધી એટલે વશ થઈ ગયે. ટૂંકમાં આત્માનું સામર્થ્ય એટલું બધું છે કે ભૂતના ભૂત પણ વશ થઈ જાય. કૃષ્ણની આત્મશક્તિ આગળ જેમ ભૂતનું કાંઈ ન ચાલ્યું, તેમ આત્મ સ્વરૂપની જેને પિછાણ થાય છે તેવા આત્મા આગળ કર્મરૂપી ભૂતેને ગયા વગર છૂટકે જ નથી. માટે બંધુઓ! એકવાર સમજે તે સંસારને રાગ છૂટયા વગર રહેશે જ નહિ. સંસાર એ આશ્રવનું કારણ છે એવું જેને સમજાઈ ગયું છે એવો ભૂગુ પુરોહિત સંવરના ઘરમાં આવવા તૈયાર થયું છે. એની પત્ની અને સંસારમાં જકડી રાખવા મથે છે, પણ સાચે સિંહ હવે ઝાલ્ય રહે? એને સંસારનાં રંગરાગ હવે ગમતાં નથી.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy