SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી, પુત્ર-પરિવાર–ખાન-પાન આદિ મળવાં તે સંસારના સુખની સામગ્રી કહેવાય છે. અને સદ્ગુરૂને ચાળ, જિન પ્રરૂપિત ધર્મ, શાસ્ત્ર શ્રવણના ચગ, આ બધી આરાધનાની સામગ્રી છે. હવે તમારા આત્મદેવને પૂછે કે તને કઈ સામગ્રી ગમે છે? સંસારના સુખની સામગ્રીમાં તમે જે આનંદ માના છે તે ખરેખર વાસ્તવિક સુખની સામગ્રી નથી. સોહાંધ આત્માઓ જ સ’સારના સુખની સામગ્રીમાં આનંદ માને. જ્ઞાનીને એમાં આનંદ ન હાય. તમે મનુષ્યભવ પામીને પૈસા ટકા અને કુટુબ પરિવાર માટે શું શું કર્યું...? અને વીતરાગ દેવ, નિગ્રંથગુરૂવા, અને ત્યાગમય શાસનની સેવા માટે શું શું કર્યુ ? અહીં જ સમજાઈ જાય છે કે તમને વધારે પ્રેમ શેમાં છે? અંતરના ઉંડાણમાંથી વિચાર કરશે! તેા તમને સમજાશે કે સ`સારની સુખ સામગ્રી મેળવવા માટે, પરિગ્રહના પથારા વધારવા માટે મેં મારું જીવન વીતાવી દીધું. જ્યારે ધર્મ સામગ્રી માટે હજી મેં કઈ જ કર્યુ” નથી. આ રીતે હૃદયના મંથનપૂર્વકની વિચારણા એ પણ ધ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા છે. દેવાનુપ્રિયા ! તમે આત્માને રાજ પૂછે કે તે' માનવભવ પ્રાપ્ત કરીને આત્માને કર્મના બંધનાથી છેડાવવા માટે શુ' કર્યુ? તમે એક વાત નક્કી કરી લેજો કે આરાધનાની સામગ્રીના સદુપયેાગ કરવાથી નિયમા સદ્ગતિ છે, અને સંસાર સુખની સામગ્રીમાં, આરંભ સમારંભમાં પાગલ બનવાથી નિયમા દુČતિ છે, માટે કંઈક સમજો. પૂર્વે શુભ કાં કરીને આવ્યાં છે તા આ ભવમાં પામ્યા છે. પુણ્યનાં શુભ ફળ ભાગવવા ગમે છે પ પુણ્ય કેવી રીતે થાય છે તેની ખબર નથી. पुण्यस्य फल मिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः । पापस्य फल नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ આજે મેટા ભાગના મનુષ્યો પુણ્યનાં શુભ ફળા ઈચ્છે છે, પણ પુણ્ય કરવું ગમતુ નથી. પાપમાં રકત રહેવું છે, પાપ કરવા છે પણ પાપનાં અશુભ ફળ ભોગવવા ગમતા નથી. ખાવળ વાવીને કેરીની ઇચ્છા રાખવી છે તે કયાંથી મને ? ખાવળ વાવવાથી તે કાંટા જ મળે ને? આ ભવમાં પાપ કર્યાં જ કરો તા કરૂપી કટકા જ વાગવાના છે. તમે નજરે જ દેખા છે ને કે કંઇક સુખી છે ને કંઈક દુઃખી છે. આ બધી પુણ્ય પાપની લીલા છે. માટે સમજીને મમતા છેડો. મમતા તા કેટલી બધી છે! અમારી બહેનેા ઉપાશ્રયમાં આવે ત્યારે કેડે ચાવીઆના માટે ગૂડા ભરાવીને આવે છે. મને તા એમ થાય છે કે આને ભાર પણ નહિ લાગતા હાય ! (હસાહસ). (સભા :-ભાર કયાંથી લાગે ! મમતા છે ને!) કંઈક સમજો. બહુ મમતા રાખશેા તે પાછળથી દુઃખી થવુ પડશે. કદાચ એ ગૂડા ઘેર રહી ગયા અને અહીં આવીને સામાયિક લેવાઈ ગઈ. કેડે નજર ગઈ તા ઝુડો બાથરૂમમાં રહી ગયા, તે સામાયિકમાં પણુ ઉત્પાતને પાર નહિ. વહુના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy