SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ 'જુઓ ! જોયું ને? રૂદનમાં કેવુ' કહી દીધું. મરી ગયા પછી રડે છે ને એ પણ સાચુ રડતા નથી. અને કદાચ રડે છે તે તેમાં એમના સ્વાથ છે: પેલા વૃદ્ધો કહે છે લાવે ત્યારે કરવત. પગ વેરી નાંખીએ. હવે જ્યાં પગ વહેરવાની વાત થઈ ત્યાં ગુટીકા બહાર કાઢી કે તરત જ કાકા ધડાકે દઈને બેઠા થઈ ગયા. અને ભત્રીજાના આશ્રમ તરફ દોટ મૂકે છે. લેાકેાને આશ્ચય થયું કે આ તેા મડદું એઠુ` થયુ` કે શું? પત્ની પાછળ દોડે છે. શેઠને કહે છે કયાં જાવ છે ? મારા સામુ તા જુઓ ! શેઠ કહે છે તને મારા ઉપર કેટલા પ્રેમ છે એ મેં' જોઈ લીધું. હવે મારે એક ક્ષણ પણ સંસારમાં રહેવુ' નથી. ભત્રીજા પાસે કાકો પણ વે-ધર્મની દીક્ષા લઈ લે છે. રાજગૃહીના શ્રાવકો ! જુએ, આ ભત્રીજાએ કાકાની આંખ ખાલાવી. સંસારની મમતા મૂકાવી દીધી. હવે તમે પણ સમજીને મમતા મૂકે તે સારી વાત છે. નહિતર અનિચ્છાએ પણ સંસાર છેડવા તેા પડશે જ. આ જીવ મમતામાં અંધ બન્યા છે. પણ આ શરીરને જ્યાં મૂકીને જવાનું ત્યાં માલ-મિલકત, મેટર ને બંગલા તા કયાંથી સાથે આવવાના છે? આ સંસારનું સ્વરૂપ સમજો અને મમતા એછી કરા. જેમ ભત્રીજાએ કાકાની આંખ ખાલાવી દીધી તેમ અહીં પણ પુત્રોના નિમિત્તથી ખાપ જાગી ગયા છે. અને પેાતાની પત્નીને કહે છે કે સંસારનાં સુખા ભાગવવા જેવા તે આપણા પુત્રો છે. એ જ્યારે છેાડીને ચાલ્યા જાય છે તે મારે સ'સારમાં શા માટે રહેવુ જોઈએ ? ડાળા વિનાનું વૃક્ષ જેમ હું...હું લાગે છે તેમ પુત્રો વિના આપણું જીવન પણ ઠુંઠા વૃક્ષ જેવું છે. માટે પુત્રાના જે માગ છે તે જ મારા માર્ગ છે. હજી પણ ભૃગુ પુરાહિત જી કહે છે— पंखा विहूणो व्त्र जव पक्खी, भिच्चा विहूणो व् रणे नरिन्दा । વિવન્ત સારા વળિો વ ોપ, પદ્દીન પુત્તોમિતા કવિ ॥ ઉ. અ. ૧૪-૩૦ હે વાસિષ્ઠિ ! (વસિષ્ઠ ગેાત્રમાં ઉત્પન્ન થવાવાળી) જેવી રીતે આ લેાકમાં પાંખ વિનાનું પક્ષી, સેના વિના સંગ્રામમાં ગયેલા રાજા અને ધન રહિત વણિક વહાણ ડૂબી જવાથી દુ:ખી થાય છે, તેવી રીતે હું પણ પુત્રા વિના દુ:ખી થઇશ. જેમ પક્ષીની પાંખ કપાઈ જાય તેા એના જીવનમાં એને કોઈ જાતના આનંદૅ રહેતા નથી. પાંખ વિનાનું પક્ષી ગમે ત્યાં પડી જાય છે અને કાગડા ચાંચેા મારે છે. કૂતરા ફેંદી નાંખે છે. બિલાડી ખાઇ જાય છે. પણ પાતે પાંખ રહિત થઈ ગયુ` હાવાથી દુ:ખી દુ:ખી થઈ જાય છે. જો પાંખ હાય તેા એક વૃક્ષની ડાળ ઉપરથી બીજા વૃક્ષની ડાળ ઉપર જઈને બેસે છે, એને કોઇ હેરાન કરી શકતું નથી. પણ પાંખ વિના એની બૂરી દશા થાય છે, તેમ મારી દશા પણ પાંખ વિનાના પક્ષી જેવી બની ગઈ છે, બીજી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy