SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધમીના દિવસ અને રાત્રિ સફળ જાય છે અને અધમીનાં અફળ જાય છે, માટે અમે તે આપને પણ એમ જ કહીએ છીએ કે આપ પણ અમારી સાથે સંયમ માર્ગે ચાલે. આ સંસારમાં આપને પણ રાચવા જેવું નથી. ભૃગુ પુરોહિત પણ સમજદાર હતે. પુત્રની વાત એના ગળે ઉતરી. એટલે પુત્રને કહે છે, તમારી વાત સાચી છે. પણ મારી એક વાત સાંભળો. एगओ संवसिसाणं, दुहओ सम्मत संजुया । પછી કાયા મિરણ મો, મિલમાં છે કે મે ઉઅ. ૧૪-૨૬ ભૂગ પુરેહિત કહે છે હે મારા વ્હાલા પુત્રો ! હું તમારી વાતને સ્વીકાર કરું છું. પણ આપણે ચારે ય જણ પહેલાં સમ્યક્ત્વપૂર્વક દેશવિરતિ શ્રાવક બનીને સંસારમાં . રહીએ. જ્યારે તમારી ઉંમર પરિપકવ થશે ત્યારે આપણે દીક્ષા લઈને ઘર ઘરમાં ગૌચરી કરી આપણી જીવનયાત્રા ચલાવીશું. આ ગાથામાં ભૃગુ પુરોહિત એના પુત્રોને એ સમજાવી રહ્યો છે કે હમણાં ગૃહસ્થ ધર્મનું પાલન કરી પાછલી ઉંમરમાં દીક્ષા લેવી જોઈએ. પિતાને તો સમજાઈ ગયું છે કે પુત્ર જે માળે જાય છે એ માગ જ સાચે છે. વહેલા કે મેડા એ માર્ગે જવું તે પડશે જ. બંધુઓ ! આ બ્રાહ્મણ સમજી ગયે. પણ તમને સમજાય છે કે નહિ? વહેલા કે મોડા સંયમ લીધા વિના સાધ્યની સિદ્ધિ થવાની નથી. જેને ત્રણ પ્રકારે વૈરાગ્ય આવે છે. દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગ્રહી નગરીમાં પધાર્યા. આ સમયે શ્રેણિક રાજાના દશ પુત્ર ચેડા (ચેટક)મહારાજાની સામે યુદ્ધ કરવા ગયા છે. જેના પુત્રો યુદ્ધમાં ગયા હોય, જે યુદ્ધમાં લેહીની નદીઓ વહેતી હોય તેની માતાઓને ઉંઘ કેમ આવે? જે બાઈને પતિ જેલમાં પૂરી હોય તેને મીઠાઈ ભાવે ખરી? તેમ હે દેવાનુપ્રિયે! જેને આત્મદેવ અનાદિકાળથી કર્મની કોટડીમાં પૂર હોય તેને સુખે ઉંઘ કેમ આવવી જોઈએ? કર્મની સજા ભોગવી રહ્યાં છે તે કેમ ભૂલી જાવ છો? દશે રાણીઓને પોતાના પુત્રોની ખૂબ ચિંતા થાય છે. તેમને ઉંઘ આવતી નથી. ખૂબ ઝૂરે છે. એ દશે ય રાણીઓ ભગવાન પાસે આવી હાથ જોડી, વંદન નમસ્કાર કરી પૂછે છે હે પ્રભુ! આપ તે સર્વજ્ઞ છે. આપ તે સમય સમયની વાત જાણી દેખી રહ્યાં છો. અમારે એક એક જ પુત્ર છે. અમારા (દશે ય રાણીઓના) દશ પુત્રો ચેડા મહારાજાની સામે યુદ્ધ કરવા ગયા છે. તે હે પ્રભુ! અમારા પુત્રોને યુદ્ધમાં વિજય થશે કે પરાજય થશે? અમે અમારા પુત્રોનું મુખ જોઈ શકીશું કે નહિં? ભગવાન તે બધું જાણતા હતા. પ્રભુ કહે છે ચેડા રાજાના એકેક બાણથી એકેક એમ દશ દિવસમાં તમારા દશે ય પુત્ર મૃત્યુ પામ્યા છે. આ સાંભળી દો ય રાણુઓ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy