SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ અગ્નિમાં એને બાળે, નથી ફરિયાદ કરવી મારે, આ આનંદથી મારે બળવું છે.પ્રભુ ચંદન મારે બનવું છે. ચંદનના ટુકડાને કોઈ બાળી નાખે, ઘસી નાખે તે પણ એ એને શિતળ સ્વભાવ છેડતું નથી. એ જેમ જેમ ઘસાય છે તેમ તેમ અલૌકિક સુવાસ આપે છે. તેમ સંયમ માર્ગે જતાં જેમ જેમ કસોટી આવશે તેમ તેમ અમારા આત્મામાંથી સુવાસ મહેંકશે. પીપરને સામાન્ય રીતે વાટીને ખાવામાં આવે તે પણ ખવાય. અને એ જ પીપરને ૬૪ પ્રડર સુધી સતત ઘૂંટીને ખાવાના ઉપગમાં પણ લેવાય છે. પીપર તે એક જ છે પણ બંનેના ગુણમાં ફેર છે. જેમ જેમ પીપર ઘૂંટાય તેમ તેમ તેમાં ગુણ પ્રગટે છે. તે જ રીતે આત્મામાં જેમ જેમ તત્વનું મંથન થાય છે તેમ તેમ ગુણે પ્રગટે છે. ચંદન કહે છે કે મને ઘસી ઘસીને કોઈ લાભ ઉઠાવે તે માટે હસતે મુખે સહન કરવું છે. પણ બીજાને શિતળતા આપવી છે. જડ કાષ્ઠ પણ બીજાને શાતા ઉપજાવી શકે છે તે આપણે ચૈતન્ય શું ન કરી શકીએ? આત્માની શક્તિ અનંત છે. માટે “અમારે સંસારમાં રહેવું નથી. અનંત સુખના સ્વામી બનવું છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. હવે તે દિવાળી નજીક આવે છે પણ આ કારમી મોંઘવારી લોકોને ભરખી ખાય છે. ગરીબના દિલમાં દિવાળીને આનંદ ક્યાંથી હોય? ધનવાનેને મને દિવાળી છે, ગરીબને મન તે હેળી છે. એક કવિએ ગાયું છે કે મા દિલ્હી તે ગઢથી ઉતર્યા મોંઘવારી મા, એ તો પરવરીયા ગુજરાત રે મેંઘવારી મા, મા ભૂખ ભૂખ કરતાં આવીયા મોંઘવારી મા, એના શા કરીએ સન્માન રે મેંઘવારી મા....મા... દિલ્હી શહેરથી ઈન્દીરાએ મેંઘવારી માને મેલ્યા છે. સારા ગુજરાતમાં મોંઘવારીએ ઘેરે નાંખે છે. જ્યાં જુઓ ત્યાં ત્રાસ ત્રાસ વતી રહે છે. લેકે પિકાર કરે છે કે શું ખાઈએ ને શું વાપરીએ? ઘી મેંવું, તેલમેંવું, ખાંડ–ગળ મોંઘા અને અનાજની તંગી. હવે દિવાળીમાં આનંદ કયાંથી આવે? જે ભારતભૂમિમાં કેટલું અનાજ પાકે છે, કેટલી ચીજોનું ઉત્પાદન થાય છે એજ ભારતના સંતાનને પિતાની ચીજો ખાવા મળતી નથી. છતાં સાધને ભારત ભૂખે મરે છે, એનું કારણ નેતાઓ પોતાના મેજ શેખ ખાતર પિતાના દેશમાંથી ઘઉં, તેલ વિગેરે ચીજો પરદેશમાં મોકલે છે. અને પિતાની પ્રજા ભૂખ ભેગવે છે. દિલ્હી શહેરથી મોંઘવારી મા એમનાં બાળ-બચ્ચાને લઈને ગુજરાતમાં પધાર્યા છે. તમારા સંસારમાં કેટલું દુઃખ છે. ભગવાન કહે છે કે “કાંત સુઠ્ઠી મુળી વીતરાગી ”
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy