SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ નાંખે. ત્રણ ત્રણ દિવસની અઘોર પીડામાં શરીરની મૂછ, જીવવાની મમતા વિગેરે ડાકના ટેળાએ એને એ ઘેરી લીધું કે એના અંગે હાયવોયને પાર ન રહ્યો. તે અંતર. કલેશને પણ પાર નહિ. છેવટે અશુભ ભાવ, અશુભ ધ્યાન મગજ ઉપર ચઢી બેઠા અને એ કરૂણ હાલતે મર્યો. આખી જિંદગી સેવેલા અભિમાન, ધર્મ ષ અને ધર્મનિંદાના અશુભ ભાવેનું એને કેવું ફળ મળ્યું? મરણ વખતે એનું અભિમાન કેવું ઓસરી ગયું ! માટે જ જ્ઞાનીઓ કહે છે કે તમે જીવનમાં શુભ ભાવના ભાવે. તમારાથી કોઈનું સારું ન થાય તે ખેર, પણ કેઈનું અશુભ તે ન જ કરવું. ધમ કદાચ ઓછો થાય તે ઓછો કરે, તમે ત્યાગી ન બની શકે તે ન બને, પણ જે ધર્મ કરે છે, સંસાર ત્યાગે છે એના અવર્ણવાદ તે ન જ બલવા. મનમાં આવેલ હેજ અશુભભાવ પણ કેટલું નુકશાન કરે છે ! એક મુનિ કાઉસગ્ગ કરતા હતા. કાઉસગ તે એક લેગસ્સને જ હતું. પણ લેગસ્સ બેલતાં એવા શુભ ધ્યાને ચડ્યાં કે ત્યાં એમનું અવધિજ્ઞાનાવરણીય કર્મ તૂટતાં અવધિજ્ઞાન પ્રગટ થયું. અશુભ જ્ઞાનાવરણાદિ કમેને તેડવાની ધ્યાનમાં તાકાત છે. શુભ ધ્યાનનું આ મહત્વ જીવ સમજતો નથી, એટલે ધ્યાન કરી શકતો નથી. મુનિને શુભ ધ્યાનમાં જ ત્યાં અવધિજ્ઞાન પ્રગટ થયું. હજુ કાઉસ્સગમાં જ છે, ને અવધિજ્ઞાનથી અસંખ્ય જન ઉંચે વૈમાનિકમાં પહેલું દેવલેક દેખાયું. ત્યાં ઈન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા થતાં જ ખૂણામાં ઇન્દ્ર તેની ઈન્દ્રાણીને મનાવતો દેખાયો. એ જોઈને મુનિને હસવું આવ્યું, કે અહેઆ મોટો ઈન્દ્ર પણ ઈન્દ્રાણીને મનાવવા બેઠે છે! આટલે બધો ગુલામ ! એમને સહેજ હાય આવી ગયું. હાંસી મશ્કરી એ પણ અશુભભાવ છે. એનું ફળ કેવું મળે છે? મુનિને હસવું આવ્યું ત્યાં જ અવધિજ્ઞાનનાં આવરણકર્મ પાછા ઉદયમાં આવી ગયા અને આવેલું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એટલે અંધારું થઈ ગયું. કંઈ જ દેખાતું નથી. સહેજ હાસ્યમાં કેટલું બધું ગુમાવી દીધું! બીજાની હાંસી કરતાં હયામાં જે તુચ્છતા આવી તે હવે શુભ ભાવ લાવવા જાય, શુભ ધ્યાન કરવા જાય પણ એમાં પ્રબળ પાવર કયાંથી આવે? કેઈક વખતના આવા અશુભ ભાવથી એવી ખરાબી થાય છે કે હૈયું તુચ્છ અને શુદ્ર બની જાય છે. જેથી શુભભાવ અને ધ્યાનને જાગવાને અવકાશ પણ રહેતું નથી. માટે અશુભ ભાવ લાવતાં પહેલાં ખૂબ વિચાર કરવાની જરૂર છે. મુનિનું અવધિજ્ઞાન કેમ ચાલ્યું ગયું? મુનિ તે ગુણીયલ હતા, પણ ઈન્દ્રની મોહમૂઢ દશા જોતાં એના પર હસ્યા. હાંસીને ભાવ આવે એ તામસ ભાવના ઘરને છે. પિલા મુનિને એવા ભાવ આવ્યાં હેત કે સંસારને મોહ કે વિચિત્ર છે! મેહમાં માણસ કે મૂઢ બની જાય છે, એને કારણે જ એ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy