SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં ૮૦ આસો સુદ ૯ ને ગુરૂવાર તા. ૮-૧૦-૭૦. મહાન પુરૂષોએ આપણને ખાસ સમજાવ્યું છે કે હે આત્માઓ! તમે પહેલાં પિતાને ઓળખે. માટે આપણે સર્વ પ્રથમ આપણી પિછાણ કરવી જોઈએ, કે હું તે શરીર નહીં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. આ હાથ-પગ આદિ નામ શરીરનાં છે. શરીર એ પણ બંધન છે. આપણે અશરીરી બનવું છે. શરીરમાં રહેવા છતાં પણ આપણને એમ લાગવું જોઈએ કે હું રાજીથી રહ્યો નથી પણ કર્મોદયથી છૂટકો નથી માટે રહ્યો છું. શરીરને લીધે ઉપાધિ કેટલી! શરીર ન હોય તે આધિ-વ્યાધિ કે ઉપાધિ એકેય ન રહે. તમે સમજે કે જે શરીર આપણું નથી તે પૈસા ટકા તે આપણું ક્યાંથી ગણાય ? નહીં. પણ તમે શું માને છે? કઈ પૂછે કે તમારું નામ શું ? એ વખતે નામ અને પિઢી ઝટ યાદ આવે છે ને ? પણ આપણું શું? એ ગણાવતાં આત્માના ગુણે યાદ કરે છે ખરા? મારે ચાર પેઢીઓ છે એમ બેલતાં છાતી ફુલાય છે. પણ એ શરીર કે પિઢીઓ સાથે આવશે? “ના” તે પછી જે આપણું નથી તેની મમતા શી? હું કેણુ અને મારું શું ? એ નક્કી કરવું જોઈએ. જૈન કુળમાં જગ્યા છે અને હવે અહીં નકકી નહીં કરો તે ક્યાં કરશે? આ સામગ્રી પામવા છતાં આત્માને ક્યારે અને કયાં ઓળખશો ? જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે તે મરણથી ડરતે નથી. દુઃખથી ગભરાતું નથી. એ તે સમજે છે કે શરીર એ હું નહિ. એ તે આત્માને બંધન રૂપ છે. કર્મસત્તા છૂટે તે જ મોક્ષ મળે. તમે તે ઉલ્ટા દિવસે દિવસે રાગના બંધનમાં બંધાતા જાવ છો. અત્યાર સુધી કહેલી વાત જે તમારા અંતરમાં ઉતરી હશે તો તમે રાગ-બંધનમાંથી છૂટવાને ઉપાય શોધશે. જેમને બંધનમાંથી છૂટવાને ઉપાય સમજાઈ ગયા છે તેવા ભૃગુ પુરોહિતના બે પુત્રો એમના પિતાને શો જવાબ આપે છે: માગરમાવો ઢોળો, ગરા પરિવારો . . અમદા રથનો યુવા, હવે તાય વિજ્ઞાન | ઉ. અ. ૧૪-૨૩ હે પિતાજી! આપ પ્રશ્ન કરે છે કે આ લેક શેનાથી પીડાઈ રહ્યો છે?? શેનાથી વીંટાઈ ગયે છે? અને કયા શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે? તે એના જવાબમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy