SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ બે ત્રણ દિવસમાં બાપ પકવાસી થઈ ગયે. એમની બધી ક્રિયા પતી ગઈ. પછી નાનો ભાઈ કહે છે બાપુજીએ આ એક ચંદ્રકાંત મણી આપે છે અને કહે છે કે દરેકને ત્યાં મહિને મહિને રાખ. મોટો પુત્ર કહે છે કે હું મોટો છું. માટે મારે ઘેર પહેલાં રાખવું જોઈએ, તે મને આપે. એ લઈ ગયે. અને ઘરમાં કાચના કબાટમાં મૂકી દીધું. એ તે એમ સમજતું હતું કે મારે ઘેર મહિને રાખવાનું છે. એની વિધિ કંઇ જ એ જાણતું નથી. રાત પડી એટલે આ મણીનાં એવાં અજવાળાં ૫ણું થઈ ગયાં કે લાઈટની જરૂર ન પડે. કબાટમાં મૂકેલ મણી કેટલું તેજ કરે છે? મોટા પુત્રને થયું કે ઠીક, એક મહિને કેરોસીન બાળવું નહિ પડે. એટલે ખર્ચ ઓછો થશે. એણે એક મહિના સુધી મણી રાખીને બીજા ભાઈને આપે. બીજો ભાઈ મણી ઘેર લાવીને સાચવીને મૂકે છે. રાત પડી. એ મણી બહાર કાઢીને જુવે છે તે એનું તેજ ઝીલી શકાતું નથી. દિવસ જેવું ઘરમાં અજવાળું–અજવાળું લાગવા માંડયું. એના ઘરમાં માંકડ ખૂબ થયા હતાં. એટલે એના મનમાં એવો વિચાર થ. ઠીક થયું. રાત્રે માંકડ બહુ કરડે છે, ત્યારે માંકડ વણવા માટે લાઈટ કરવી પડે છે તે એ ખટખટ મટી ગઈ. માંકડ વીણવાની મઝા પડશે. આખો મહિને બીજા નંબરના પુત્રે મણીના પ્રકાશમાં માંકડ વણવામાં પસાર કર્યો. હવે ત્રીજા નંબરના પુત્રનો વારો આવ્યો. એ તે એની બધી વિધિ જાણતો હતે. બાપે કહ્યું હતું કે તું પુનમની રાત્રે એક મોટા ઘડામાં સ્વચ્છ પાણી ભરીને એમાં આ ચંદ્રકાન્ત મણી નાંખીને ચંદ્રના અજવાળામાં મૂકી દેજે. પુનમની રાત્રે બાર વાગ્યે એમાં ઉભરે આવશે. અને એમાંથી પાણીની છોળો ઉડશે. એ પાણી લેખંડ ઉપર પડશે તે બધું સેનું બની જશે. એટલે નાના દીકરાએ લાખ મણ લેખંડ લાવીને અગાશીમાં ભેગું કરી દીધું. પૂનમની રાત્રે બધું જ બાપના કહેવા પ્રમાણે બન્યું. લાખ મણ લેખંડ સોનું બની ગયું. એણે બરાબર ચંદ્રકાન્ત મણને ઉપગ કરી લીધું. હવે મોટાભાઈએ ફરીને એને મણી આપે કે ન આપે તે વાંધો નહિ. એણે તે પિતાનું કામ કરી લીધું. મોટાએ કેરોસીન બચાવવામાં, બીજાએ માંકડ વણવામાં મને ઉપગ કર્યો કારણ કે તેઓ વિધિ જાણતાં ન હતાં. મણીના ગુણને જાણતાં ન હતાં. જ્યારે નાને પુત્ર બાપની પાસે ગયે તે બધી વિધિને જાણકાર બન્યા અને ન્યાલ થઈ ગયે. ફરીને ન મળે તો પણ એને એની પરવા ન રહી. તેમ આ દષ્ટાંત ઉપરથી આપણે પણ એ જ સાર ગ્રહણ કરવાને છે કે ચંદ્રકાંત મણી સમાન ચમત્કારી, મહાન મેંઘેરે માનવભવ આપણને મળે છે. પણ માનવભવમાં આપણે શું કરવું જોઈએ તેનું જ્ઞાન નથી. નાને પુત્ર બાપની પાસે ગયે તે બાપે વિધિ બતાવી. જે ન ગયાં તે જાણ્યા વિનાનાં રહી ગયા, તેમ આપણે પરમ પિતા પ્રભુ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy