SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ભવદેવ કહે છે મને દીક્ષા આપેા. મેં આપના ચરણમાં શીર ઝૂકાવ્યું છે. હવે આપ લેાચ કરી નાંખેા. અને મને દીક્ષા આપેા. અહી' તા મહારાજે લેાચ કરી વેશ પહેરાવી દીધા. કોડભર્યાં પરણીને આવેલા ભવદેવ સાધુ બની ગયા મિત્રોના મેઢાં ઝાંખા પડી ગયા. હવે આપણે જવાબ શું આપીશું? બધા વીલે મેાઢે ઘેર આવ્યા. અને નાગીલાને તેમજ ઘરના બધાને ભવદેવ સાધુ થયાના સમાચાર આપ્યાં. નાગીલા ખૂબ ધર્મિષ્ઠ અને સસ્કારી હતી. પણ એને સ્વપ્ને ય એવી કલ્પના તા કચાંથી હાય કે પરણીને જઈશ તે દિવસે જ મારી આશાના મિનારા તૂટી જશે. છતાં પણ ગંભીર અને ગુણવાન હતી. એટલે એણે એ જ વિચાર કર્યાં કે ધન્ય છે એની જનેતાને ! કેટલા કાડે મને પરણ્યાં? અને આમ સાધુ બની ગયા. હું કેટલી ભાગ્યવાન ! આનાથી ઉત્તમ બીજું શું! આમ તા હું દીક્ષા ન લેત, પણ હવે હું મારું જીવન ધર્મીમાં જ વીતાવીશ અને જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરીશ અને મારૂ જીવન સાર્થક બનાવીશ. મધુએ ! આ જગ્યાએ તમારા દિકરા અગર દિકરીને કોઈ સંત કે સતીજી દીક્ષા આપી દે તે તમે શું કરા ? (રાજકોટમાં રહેવુ. ભારે પડી જાય). પુણ્યવાન અને સમ આત્માઓને તે આનંદ થાય. પહેલાનાં વખતમાં જ્યારે ભગવાનની દેશના સાંભળવા જતાં હતાં ત્યારે ભગવાનની વાણી સાંભળીને કંઈક જીવા ત્યાં ને ત્યાં દીક્ષા લઈ લેતાં હતાં. કઈક આત્માએ ખાર વ્રતધારી મનતાં હતાં. પણ કંઇ ને કંઇ વ્રત ગ્રહણ કરીને જ આવતાં હતાં. કંઈક આત્માએ ઘરે આવીને આજ્ઞા લઇને દીક્ષિત ખનતાં હતાં. પણ જે ખાલી જોવા જ જતાં હતાં એ તે એવાં ને એવાં જ પાછાં આવતાં હતાં. બહેના કૂવે પાણી ભરવા માટે જાય છે ત્યારે ખેડુ' કાટવાળુ અને ખાલી લઇને જાય છે. પણ કૂવે જઇને ખેડુ–ઉટકીને સાર્ક કરે છે અને પાણી ભરીને આવે છે. તેમ મંધુઓ! તમે પણ અહીં આવે ત્યારે ખાલી આવે છે. પણ તમારા હૃદયમાં જે વિષય-કષાયના કાટ ચઢયા હાય તેને વીતરાગવાણીના પાણી વડે સાફ કરી શુભ ભાવનાનુ` જળ ભરીને જાવ. ખાલી આવા અને જ્ઞાનામૃતનુ પાણી ભરીને જાવ. રાજ તમે એક એક વચન ગ્રહણ કરતાં જશે! તેા પણ તમારૂ હૃદય રૂપી ખેડુ' એક દિવસ ભરાઈ જશે. અને એક દિવસ તમે મહાન ગુણવાન મની જશેા. આ તરફ ભવદેવ મુનિ દીક્ષા લઇને પેાતાના ભાઈની સાથે વિહાર કરી ગયાં. આ તરફ નાગીલાએ પણ એવા નિણ ય કર્યાં કે મારે જીવનભર આયંબીલ તપ કરવા. કાર કે એક તા હું યુવાન છું, સ્વરૂપવાન છું. આ ઉંમરમાં બ્રહ્મચર્ય પાળવું સ્હેલ નથી. મધુએ ! એ ભુજાએ સમુદ્ર તરવા રહેલ છે, પણ ભર યુવાનીમાં બ્રહ્મચર્ય પાળવુ' એ કઠણ છે. વળી વૃક્ષને જેટલા ફળફૂલ વધુ આવશે એટલા એના ઉપર પક્ષીએ મધુ આવીને બેસશે. અને વૃક્ષને કિલામના ઉપાવશે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ખત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કેઃ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy