SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ર પૂર્વભવમાં માયા કરી હશે તેથી આ આઢણાં આઢવા પડયા છે. પુરૂષ માયા કરે તેા ી થાય, શ્રી માયા કરે તે નપુ ંસક થાય અને જો નપુંસક માયા કરે તે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જાય. હું તે। અમારી બહેનેાને કહું છું કે પૂર્વે` માયા કરીને આવ્યા છીએ પણ હવે આઢણાં ન એઢવાં હાય તે માયા ન કરશે।. શ્રી એની પુણ્યાઇ કેટલી આછી છે. પુરૂષ એક સમયમાં સિદ્ધ થાય તે ૧૦૮ થાય અને સ્ત્રી એક સમયમાં વીસ સિદ્ધ થાય. તમારા હદ્દો ઉંચા છે, પણ યાદ રાખજો કે તમે માયા કરશે। તે સ્ત્રી ખનશો, તમે સ્ત્રીઓનું સ્થાન નીચુ ગણેા છે, પણ કાઇક વખત સ્ત્રીએ પણ પુરૂષને મુઝવનારી બને છે. એક દૃષ્ટાંત દ્વારા સમજાવું છું. એક પ્રધાન પાસે એક પેટી હતી. દરરાજ તે પેટી ખેાલીને તેની સામે હાથ જોડી ઉભું રહે અને ધીમેથી કંઈક એલે. દરાજ આમ બને છે ત્યારે પ્રધાનની સ્ત્રીને શંકા થઈ કે આ પેટીની સામે હાથ જોડીને શું ખેાલતા હશે? આમાં કઈક હોવું જોઇએ. હવે પેટી ખોલે છે ત્યારે પણ ચાકી પહેરી રાખે છે પણ પ્રધાન એ જાય ત્યાં પેટી બંધ કરી દે છે. એક દિવસ પ્રધાન પેટી સામે હાથ જોડી મસ્ત ખની ગયા છે. ત્યાં તેની પત્ની પહાંચી જાય છે. અને છે છે કે સ્વામીનાથ ! આ પેટી ખોલી દરરાજ તમે શુ ખેલે છે ? આમાં ભગવાનના ફોટો છે કે માતા-પિતાના ફોટા છે ? પ્રધાન કહે છે કે આમાં બીજું કંઇ જ નથી. પણ આમાં તારા કોઈ વિષય નથી. જો કંઈ જ નથી તે દરરોજ તેને સામે રાખીને શું ખેલે છે? તને કહેવાથી શું લાભ ! ત્યારે સ્ત્રી કહે છે શું સ્ત્રી ના ક ંઈ હૅક જ નહિ ! ત્યારે પ્રધાન કહે છે, જો, ગરમ શાલ સિવાય અંદર ખીજું કાંઈ છે? ફક્ત ગરમ શાલ સિવાય કાંઈ જ ન હતું. પત્ની કહે છે, આ શાલ ઓઢવા જેવી છે, તેા પછી તમે તેને પેટીમાં રાખી શી પ્રાના કરા છે ? પ્રધાન કહે છે હું માના નથી કરતા પણ ભાવના ભાવું છું. આ શાલ આઢી શકુ એવી મારામાં પાત્રતા નથી. આ શાલ તે લાખ રૂપિયા આપતાં પણ મળે નહિ. પત્ની કહે છે કે આમાં એવું શું છે ! પ્રધાન કહે છે કે મારા ૨૭ મિત્રોએ ગુરૂ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી છે, તે પવિત્ર આત્માઓને શ્રી સઘે બહુમાન કરીને આ શાલ એઢાડી છે. મારા મિત્રાને વિચાર થયા કે અમે તે આ વ્રત અંગીકાર કરી લીધુ પણ અમારે એક મિત્ર તેમાંથી ખાકી ન રહેવા જોઈ એ, એ બ્રહ્મચય નત અંગીકાર કરનાર આત્માઓને બહુમાનમાં ઓઢાડેલી શાલ મારાથી કેમ આઢાય ? હવે હું તેને દરરાજ સામે રાખી એવી ભાવના ભાવું છું કે હે પ્રભુ ! મને આવા અવસર કયારે આવશે કે હું આ વ્રત અંગીકાર કરૂ! આ શબ્દે સાંભળી પ્રધાનની પત્ની ધડાક દઈને ઉભી થઇ અને એલી, સ્વામીનાથ ! હું એ વ્રત અંગીકાર કરવા તૈયાર છું. પ્રધાનની ઉંમર ૩૨ વર્ષની હતી અને ની
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy