SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ જિસકી સંગતિસે અતિ સુંદર, મિષ્ટ સુગંધિત ભજન ભી, અતિ દુગધિત કૃમિસે પરિત, હેતા ક્ષણમેં હાય સભી. આ શરીરનો સંગ થતાં અતિ સુગંધિત ભોજન પણ અતિ દુર્ગધના રૂપમાં પરિણમે છે, માટે એમાં પ્રશંસા કરવા જેવું શું છે? પ્રધાનની વાત સાંભળી રાજાના મનમાં થયું ? અહો ! આ પ્રધાન તે વેદિયા જે છે. એની સાથે લાંબી ચર્ચા કરવા જેવી નથી. જુઓ, વિવેકહીન મનુષ્ય સાચા માણસોને વેદિયા જેવા માને છે. ફરી એક વખત રાજા ઘણું મિત્રો સાથે ગામ બહાર ફરવા માટે જાય છે. ત્યાં રસ્તામાં એક ખાઈ આવે છે. એ ખાઈને પાણીમાંથી દુર્ગંધ આવે છે. એટલે રાજા સહિત બધા માણસોએ નાક આડા ડૂચા દીધા. ફક્ત પ્રધાને જ નાક આડે ડૂ દીધું ન હતું. રાજા પૂછે છે અહ પ્રધાનજી ! તમને દુર્ગધ નથી આવતી? ત્યારે સમતા રસને સ્વાદ લેનારો પ્રધાન કહે છે સાહેબ ! આ દુર્ગધીનું પરિણમન પણ દુર્ગધમાં જ થાય છે. એમાં શું આશ્ચર્ય છે? ત્યારે રાજા વિચારે છે કે આ પ્રધાન છે કે લાગે છે ? એને સારાં ખોટાની પારખ જ નથી. બધા નગરમાં પાછા ફરે છે. ત્યાર બાદ પ્રધાન પિતાના નેકર પાસે એ ગંધાતી ખાઈમાંથી એક ઘડો પાણી મંગાવે છે. અને તે પાણીમાં કતકચૂર્ણ વિગેરે નાંખીને શુદ્ધ બનાવે છે. પછી તેમાં બીજા સુગંધી પદાર્થો નાંખીને સુમધુર અને શીતળ પાણી બનાવે છે. પછી પ્રધાન પિતાને ત્યાં રાજાને જમવા બેલાવે છે. રાજા જમવા બેઠે છે તે સમયે પ્રધાન પેલું પાણી સેનાના કળશમાં ભરીને રાજાને પીવા માટે આપે છે. આથી રાજા પૂછે છે, આવું શીતળ અને સુમધુર જળ આપ કયાંથી લાવે છે? મને કેમ પીવા માટે મોકલતાં નથી ? પ્રધાન કહે છે સાહેબ ! આપ મને અભયવચન આપે પછી કહ્યું. રાજા કહે છે. આમાં આટલે બધે ડર શા માટે? તમે કયે અપરાધ કર્યો છે ? આજ તમે મને અમૃત સમાન જળપાન કરાવ્યું છે તેને ખુલાસો કરવાને છે. તમને મારા તરફથી અભયવચન છે. ત્યારે પ્રધાન કહે છે રાજન્ ! આ તે પેલી ગંધાતી ખાઈનું પાણી છે. આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી ગયા. પણ કહે છે પ્રધાન ! આવું ખરાબ પાણી આટલું નિર્મળ કેમ બને? મને આ વાત ગળે ઉતરતી નથી. . પ્રધાન કહે છે સાહેબ! પ્રયોગથી બધું બની શકે છે. રાજા કહે છે–તમે મારી સમક્ષ પ્રગ કરી બતાવે, તો જ હું સાચું માનું. પ્રધાન ફરીથી પાણી મંગાવીને રાજાની સમક્ષ પ્રયોગ કરી બતાવે છે. આ જોઈ રાજાને પ્રધાન તરફ સદુભાવ જાણે છે. અને પૂછે છે આવું કેમ બન્યું ત્યારે પ્રધાન કહે છે–દ્રવ્ય માત્ર પરિણમન સ્વભાવી છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy