SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા સંસાનાં સુખ આપનાર શેડા અને કુકા જોઈતા હશે તે પણ પુણ્ય હશે તે મળશે, નહિતર નહિ મળે. પણ સાધુપણાનું સુખ જોઈતું હશે તે અબ ઘડી તમે મેળવી શકે છે. અમારી પાસે પદ્ગલિક સુખની કઈ સામગ્રી નથી. તમે પ્રત્યક્ષ જોઈ શકે છે કે તમારા ઘરમાં રેડિયે, સોફાસેટ, પલંગ, ફર્નીચર ગઠવીને સુંદર સજાવટ કરે છે. તે મહેલી એક પણ સામગ્રી સંતે પાસે નથી. છતાં સાધુપુરૂષ સંસારી કરતા અનંત ગણા સુખી છે, તેનું કારણ શું? સમજાય છે. ત્યાગ છે માટે સુખી છે. ભૂરુ પુરોહિતનાં પુ એ આનંદની મઝા માણવા તૈયાર થયાં છે. પણ એમને એ માર્ગે જતા એમના પિતા અટકાવે છે. પુત્રોની સંયમ પ્રતિ પ્રયાણની વાત સાંભળી જેના હદયમાં પરિતાપ થાય છે તેવા રાગને વશ થયેલા પિતા એક વાર નહિ પણ “કાઢHIળ વદુહા વદુ રા” વારંવાર રૂદન કરે છે. બંધુઓ! ગઈ કાલે પણ મેં કહ્યું હતું કે રાગ એટલું જ રૂદન છે. કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ ન હોય તે રૂદન ન થાય. રાગ એ મોક્ષમાર્ગમાં બેડી સમાન છે. એ આપણે શત્રુ છે. જ્ઞાનીઓ આત્યંતર શત્રુઓનાં રાગ-દ્વેષ-મેહ અને ક્રોધાદિ ચાર કષાય એવા ચાર વિભાગ પાડીને તેના સ્વરૂપની પિછાણ કરાવે છે. ચાર વિભાગમાં પહેલો પ્રકાર રાગને છે. સદ્ગતિના માર્ગમાં રાગ એ મનુષ્ય માટે લેઢાની સાંકળ સમાન છે. કોઈ માણસના પગમાં બેડી પહેરાવી દેવામાં આવે છે તે આગળ ચાલી શકતો નથી. તેમ રાગ દશાવાળા મનુષ્ય મોક્ષમાર્ગમાં કયાંથી ઝડપી વિકાસ સાધી શકે? રાગ એ તે મોટામાં મોટું બંધન છે. આજે તમારી રાગ દશા એવી છે કે એકાદ દિવસ માટે પણ ઘર છોડવું પડે તો ભારે પડી જાય છે. પરિગ્રહ, પુત્ર, પરિવાર આદિની રાગદશાને કારણે ધર્મક્રિયામાં મનની સ્થિરતા રહેતી નથી. ઈટ સંગોમાં છ રાગને પિષેતો હોય છે પણ એ સંગને જ્યાં વિગ થાય છે ત્યાં જીવને તીવ્ર દુઃખ ભોગવવું પડે છે. સંગનું સુખ રાઈ તુલ્ય છે અને વિયાગનું દુઃખ મેરૂ તુલ્ય છે. પગમાં કાંટે ઉપરના ભાગમાં વાગ્યું હોય તે કાઢતાં બહુ વેદના ન થાય, પણ ઉડો વાગ્યે હોય તે કાઢતાં રાડ પડી જાય તેવી વેદના થાય છે. તેમ સંસારમાં રહેવા છતાં જળ-કમળની જેમ નિલેપ ભાવે રહ્યાં છે તે સંસારમાં કોઈ પણ જાતના વિયોગ સમયે તીવ્ર દુઃખ ન થાય. અને સંસારમાં ગળાબૂડ ખેંચીને રહ્યા હશે તે વિયેગના પ્રસંગે રાડ નીકળી જવાની છે. માટે રાગદશામાં બહુ લેવા જેવું નથી. એકેકને મારાં માનીને બેસી ગયા છે પણ ખરા પ્રસંગે કોણ તમારી પડખે ઉભા રહેવાના છે એને વિચાર કર્યો? આ તે પંખીને મેળે છે. કેણુ કયા ટાઈમે ઉડી જશે તેની કાંઈ જ ખબર નથી. | માટે બંધનમાં જકડાવા જેવું નથી. વિરક્ત ભાવે રહેવા જેવું છે. આસક્ત
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy