SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ગયેલી ભૂલાની આલાચના કરીને વિશુદ્ધ બનાવી વેર ઝેર છેાડી દેજો. તા જ તમે સાચી સંવત્સરી ઉજવી ગણાશે. “ ગુજરાતમાં બનેલી કહાણી ” " એક જ માતાના ઉદરમાં આળાયેલાં એ ભાઈ હતાં. અને ભાઇઓને એકખીજા પ્રત્યે ખૂબ પ્રેમ હતા. જેમ રામ અને લક્ષ્મણ, કૃષ્ણ અને ખળભદ્ર, તેવી આ ભાઇઓની જોડી હતી. જેમ ક્ષીર અને નીર, દૂધ અને સાકર પરસ્પર એકએક થઈને રહે છે તેમ આ એ ભાઈ આના પ્રેમ દૂધ અને સાકર જેવા હતા. તેઓ એક બીજાને મૂકીને કયાંય જતા ન હતાં. સાથે જમે, સાથે રમે અને સાથે સૂવે, એવા બે ભાઇ એ માટા થતાં માતાપિતાએ તેમને પરણાવ્યાં. અમુક સમય પછી માતા-પિતા સ્વર્ગવાસી બન્યા. આ અને ભાઈઓ કમાય છે. કાયમ સરખી સ્થિતિ રહેતી નથી. ઘરમાં આસુરી લક્ષ્મી આવે છે ત્યારે કુસંપ કરાવે છે. પ્રેમમાં તડ પડાવે છે. અને જો દૈવી લક્ષ્મી આવે તે મને ભાઈ વચ્ચે અણુમનાવ હેાય તે પણ પ્રેમના અકુરા ફૂટે છે. આ ઘરમાં આસુરી લક્ષ્મીનુ આગમન થયુ.. એટલે ભાઇઓનાં પ્રેમ ઓછા થવાં લાગ્યા. દિલમાં સંકુચિતતા આવવા લાગી. દેરાણી જેઠાણીમાં પણ ઝઘડા થવા લાગ્યા. અંતે બંને ભાઇઓ જુદા થાય છે. કર્મીના કોયડા અલબેલા છે. એને કોઈ કળી શકતું નથી. નાનાભાઈના એવા ધાર પાપના ઉદય થયા કે જે કોઈ ધા કરે તેમાં ખાટ જાય છે. ધીમે ધીમે ઘરની ખધી વસ્તુઓ વેચાઈ ગઈ. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. જ્યારે ના પાર નથી. ગાદીએ બેઠા બેઠા પૈસાની ટંકશાળ પાડે છે. મેાટાભાઈ ને ત્યાં લક્ષ્મી એ ત્રણ વર્ષ તેા આકરી કસેાટીમાં પસાર થયા. પણ માટ્રાભાઈ નાનાભાઈની ખબર લેતા નથી. નાનાભાઈ થાડુ' ઘણું કમાય છે અને જે કંઈ મળે છે તેમાં સંતાષ માની દ્વિવસે વીતાવે છે. આમ કરતાં ભાઈની સાથે અણુમનાવ થયાં ખાર વર્ષો વીતી ગયાં. • ખાર વર્ષથી મેાટાભાઈએ નાનાભાઈના સામું જોયુ નથી. એક વખત માટેાભાઈ બિમાર પડયા. તે અરસામાં જ સ'વત્સરીના પવિત્ર દિવસ આવ્યેા. નાનાભાઈ વ્યાખ્યાનમાં ગયા હતા. મહારાજે ઉપદેશ આપ્યા કે જેની સાથે આપણે અણુમનાવ થયા હાય તેની પાસે હૃદયપૂર્વક ક્ષમા માંગી હૃદય ઉપર જામેલા કલેશરૂપ કાળાશના પાપડાં ઉખાડી હૃદયને સ્વચ્છ દ ણુ જેવુ બનાવવું. ભૂતકાળનું કંઈ પણ કડવુ' સ્મરણ હૃદયના ખૂણામાં રહી જવું ન જોઈ એ. સ ́વત્સરી પ્રતિક્રમણ કર્યાં પછી આપણે નવા નામે જીવનના પ્રારંભ કરવાના છે. આવા ઉપદેશ સાંભળી નાનાભાઈનું હૃદય પીગળી ગયું. અહા ! માર માર વર્ષોથી મેટાભાઈની સાથે અણુખાલા છે. મેં માટાભાઈના દર્શન પણ કર્યાં નથી. માટે માજે જ મારા ભાઈના ચરણમાં પડીને તેમની પાસે ક્ષમા માંગી લઉં",
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy