SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ છે, પણ વૃક્ષો પોતે ફળ ખાતાં નથી, પણ એના મધુરાં અને મીઠાં ફળેા વડે બીજાની ભૂખ મટે છે. સરોવર, વૃક્ષ અધાતુ કાય પાપકારી છે. એવી રીતે સંતે પણ પેાતાનું જીવન પરહિત માટે જ ધારણ કરે છે. જેવી રીતે અગરબત્તી ખીજાને સુગંધ આપવા માટે પાતાની જાતનું બલિદાન આપે છે. પેાતે મળીને બીજાને ખુશો આપે છે. સંતનુ' જીવન પણુ અગરબત્તી જેવુ' હાય છે. તેઓ પેાતાના દુઃખની પરવા કર્યાં વિના પરહિત માટે જ પેાતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. સંતનું હૃદય માખણ જેવુ' કોમળ હોય છે. સ'તના જીવનમાં ગમે તેટલાં કષ્ટા આવી જાય, હજારે આપત્તિએનાં પહાડ કેમ ન તૂટી પડે ! છતાં સંત ધીરજ ધારણ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યુ` છે કે સાચા સંત કેાને કહેવાય ! “ છામાામે મુદ્દે યુવું, નીત્રિ મળે તા 1 "" समो निंदा संसासु, तहा माणाव माओ || ઉ. અ. ૧૯ – ૯૦ લાભ થાય કે અલાભ થાય, આહારને બદલે માર મળે, સુખ મળે કે દુઃખાના ડુંગરા તૂટી પડે, એમની સામે કોઈ પ્રશંસાના પુષ્પા વેરે કે નિંદ્યાના કાંટા વેરે, કોઈ માન આપે કે અપમાન કરે, દરેકમાં સમભાવ રાખે તે સંત કહેવાય. એમના ઉપર મારણાંતિક ઉપસગ આવી જાય તા પણ પેાતાના ઉપર દયા કરવાની આજીજી નહિ કરે. જેમ જેમ દુઃખ, અપમાન, તિરસ્કાર અને ધૃણાની વાળાએ તેને બાળી ખાખ કરવા આગળ વધતાં જશે તેમ તેમ તેનું જીવન વજ્ર જેવુ' મનતું જશે. પછી એને ચલાયમાન કરવાની કોઈની તાકાત નથી. સંત હિમાલયની માફક અડાલ હોય છે. "" સંતાનુ હૃદય પેાતાને માટે કઠોર હોય છે. “ વજ્રરપિ ોરાણિ મૃત્યુનિ નુમાનિ’ પેાતાના કર્મ શત્રુઓને જીતવા માટે સંતનું હૃદય વજ્રથી પણ કઠોર હોય છે, અને બીજાના દુઃખા જોઇને પુષ્પથી પણુ કામળ બની જાય છે. કહેવાના આશય એ છે કે સંત કોઈના દુઃખા જોઈ શકતા નથી. અંધુ! સતા એક પ્રકારનાં ડાકટર છે. જ્યારે તમારા શરીરમાં રાગનાં જંતુએ ભરાઈ જાય છે ત્યારે એના નાશ કરવા માટે ડાકટર પાસે જઈ ને દવા-ઈંજેકશન વગેરે લેવાં પડે છે એ જ રીતે જ્યારે તમારા મનમાં વિષય-વિકારનાં જંતુઓ ઉત્પન્ન થાય ત્યારે તમારે સંત રૂપી ડોકટરનું શરણ અવશ્ય લેવુ જ પડે છે. તેમના સપક થી વિષભયુ માનસિક વાતાવરણુ અમૃતમય બની જાય છે. અને જીવનમાં કોઈ નૂતન પ્રકાશ પથરાય છે. સંતના ચરણે જવાથી કંઈક આત્માઓના જીવનના સુધાર થયા છે. સમર્થ ગુરૂ અને આજ્ઞાંક્તિ શિષ્ય --
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy